તાજા સમાચાર
Latest News Gujarat: પશ્ચિમ એશિયાના યુદ્ધની માઠી અસર: કમર્શિયલ LPGની તંગીથી હોસ્ટેલ-મેસના રસોડા ઠપ! | Latest News Gujarat: ગુજરાતે અવકાશ ક્ષેત્રે રચ્યો ઇતિહાસ: ધોલેરાના બાવળીયારીથી રાજ્યના પ્રથમ ખાનગી રોકેટનું સફળ લોન્ચિંગ | Latest News Gujarat: ગુજરાત સરકારનો ગૌસેવા ક્ષેત્રે મહત્વનો નિર્ણય: ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ના નિયમોમાં મોટો સુધારો | Latest News Gujarat : ગુજરાત મેડિકલ કાઉન્સિલની લાલ આંખ: ગેરવર્તણૂક અને બેદરકારી બદલ રાજ્યના ત્રણ તબીબો સસ્પેન્ડ | Latest News Gujarat : ગુજરાતમાં ભરતી કૌભાંડનો નવો ફણગો: સ્ટાફ નર્સ વર્ગ-૩ની ભરતીમાં ‘નકલી નિમણૂક પત્ર’ના ગંભીર આક્ષેપ | Local News : વાલિયાના ડણસોલી ગામે હનુમાનજી મંદિર પાસે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
Latest News Gujarat: પશ્ચિમ એશિયાના યુદ્ધની માઠી અસર: કમર્શિયલ LPGની તંગીથી હોસ્ટેલ-મેસના રસોડા ઠપ! | Latest News Gujarat: ગુજરાતે અવકાશ ક્ષેત્રે રચ્યો ઇતિહાસ: ધોલેરાના બાવળીયારીથી રાજ્યના પ્રથમ ખાનગી રોકેટનું સફળ લોન્ચિંગ | Latest News Gujarat: ગુજરાત સરકારનો ગૌસેવા ક્ષેત્રે મહત્વનો નિર્ણય: ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ના નિયમોમાં મોટો સુધારો | Latest News Gujarat : ગુજરાત મેડિકલ કાઉન્સિલની લાલ આંખ: ગેરવર્તણૂક અને બેદરકારી બદલ રાજ્યના ત્રણ તબીબો સસ્પેન્ડ | Latest News Gujarat : ગુજરાતમાં ભરતી કૌભાંડનો નવો ફણગો: સ્ટાફ નર્સ વર્ગ-૩ની ભરતીમાં ‘નકલી નિમણૂક પત્ર’ના ગંભીર આક્ષેપ | Local News : વાલિયાના ડણસોલી ગામે હનુમાનજી મંદિર પાસે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો |

Latest News Gujarat : ગુજરાતમાં ભરતી કૌભાંડનો નવો ફણગો: સ્ટાફ નર્સ વર્ગ-૩ની ભરતીમાં ‘નકલી નિમણૂક પત્ર’ના ગંભીર આક્ષેપ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતમાં નકલી કચેરીઓ અને નકલી અધિકારીઓ બાદ હવે સરકારી ભરતી પ્રક્રિયામાં નકલી નિમણૂક પત્રોનું મોટું કૌભાંડ સામે આવ્યું હોવાના સનસનીખેજ આક્ષેપો થયા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સ્ટાફ નર્સ વર્ગ-૩ની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો પર્દાફાશ કરતા રાજ્યના વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.

૧૯૦૩ જગ્યાઓ માટે ગત ૯ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ સ્ટાફ નર્સ વર્ગ-૩ની પરીક્ષા યોજાઈ હતી, જેમાં આશરે ૫૩,૫૦૦ થી વધુ ઉમેદવારો ભાગ લીધો હતો. યુવરાજસિંહના આક્ષેપ મુજબ, આ પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારોને પણ આરોગ્ય વિભાગના સત્તાવાર લોગો અને સહી-સિક્કાવાળા નિમણૂક પત્રો મળી રહ્યા છે. આ ઘટનાએ અગાઉ ગુજરાત પોલીસ ભરતીમાં થયેલા કુખ્યાત ‘મયુર તડવી’ કાંડની યાદ તાજી કરાવી દીધી છે, જેમાં નકલી દસ્તાવેજોના આધારે એક શખ્સે ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી હતી. સ્ટાફ નર્સની આ ભરતી પ્રક્રિયા શરૂઆતથી જ પ્રશ્નપત્રની પેટર્ન બાબતે વિવાદોમાં રહી હતી, છતાં તંત્ર દ્વારા પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી હતી.

આ કૌભાંડમાં શિવાનીબેન ભરતભાઈ ડાકી નામની ઉમેદવારનો કિસ્સો સૌથી વધુ ચર્ચામાં છે, ઉમેદવાર પાસે આરોગ્ય વિભાગનો સત્તાવાર દેખાતો નિમણૂક પત્ર છે,ઉમેદવાર જૂના સચિવાલયમાં ઓફિસ બહાર ફોટા પડાવતા પણ જોવા મળ્યા છે.જ્યારે સત્તાવાર મેરિટ લિસ્ટ ચેક કરવામાં આવ્યું, ત્યારે આ ઉમેદવારનું નામ પાસ થયેલા લિસ્ટમાં ક્યાંય નથી. ઉલટું, તેઓ ‘ડિસ્ક્વોલિફાઈડ’ (નાપાસ) ઉમેદવારોની યાદીમાં નોંધાયેલા છે.આ આક્ષેપો બાદ હવે જોવાનું એ રહે છે કે સરકાર આ મામલે તપાસના આદેશ આપે છે કે કેમ.

“પરીક્ષામાં ફેલ હોવા છતાં ઉમેદવાર પાસે વિભાગના લોગો અને સહી-સિક્કાવાળો ઓર્ડર ક્યાંથી આવ્યો? આ એક તપાસનો વિષય છે.” – યુવરાજસિંહ જાડેજા

error: Content is protected !!