તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

કપરાડામાં બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત: એક મહિલાનું સારવાર દરમિયાન મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કપરાડા તાલુકાના વારોલી જંગલ વિસ્તારમાં બે મોટરસાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં એક મહિલાનું ગંભીર ઇજા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે કપરાડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગત તારીખ 21/03/2026 ના રોજ સાંજના સમયે માનાજીભાઇ ધાનુભાઇ ઘોડી અને તેમના પત્ની સાકરુબેન (ઉં.વ.46) પોતાની TVS સ્ટાર મોટરસાયકલ નંબર GJ-15-AQ-1404 પર સવાર થઈને સંબંધીને ત્યાં જતા હતા.

આ દરમિયાન વારોલી જંગલ પંચાયત સામેના રોડ પર સામેથી આવતી એક હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ-15-AQ-1161 ના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી માનાજીભાઇની બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં માનાજીભાઇને મોઢા અને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી, જ્યારે પાછળ બેઠેલા સાકરુબેનને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેઓ બેભાન થઈ ગયા હતા. તેઓને તાત્કાલિક 108 મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, 10 દિવસની લાંબી સારવાર બાદ ગત તારીખ 31/03/2026 ના રોજ રાત્રે તેઓનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના ભત્રીજા અર્જુનભાઇ માનાજીભાઇ ઘોડીએ આ અંગે કપરાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.