તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

નિઝરના વાંકા ગામની સીમમાં અકસ્માત : બાળક સહિત બે’ના મોત, એક ગંભીર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નિઝરના વાંકા ગામની સીમમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી એક સ્વીફ્ટ કારે મોટરસાયકલને અડફેટે લેતા બાઈક પર સવાર ૨૬ વર્ષના યુવક અને ચાર વર્ષના માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના બલવંડ ગામે રહેતા જયપાલસિંગ ભરતસિંગ ગીરાસે (ઉં.વ. ૨૬), તેમના પત્ની નિકીતાબેન (ઉં.વ.૨૧) અને તેમનો ચાર વર્ષનો ભાણેજ નિરજકુમાર ગીરાસે પલ્સર મોટરસાયકલ નંબર એમએચ/૩૯/એઆર/૬૦૪૩ પર પ્રતાપપુરથી પોતાના ગામ જઈ રહ્યા હતા.

તે દરમિયાન હથોડાથી વાંકા તરફ જતા રોડ પર હથોડા પુલના વળાંક પાસે સામેથી આવી રહેલી એક સ્વીફ્ટ કારના નંબર એમએચ/૦૪/જીજે/૦૯૩૦ ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક સવાર ત્રણેય જણા રોડ પર ફેંકાઈ ગયા હતા. જેમાં જયપાલસિંગનું ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે નિકીતાબેન અને ચાર વર્ષના બાળક નિરજકુમારને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નિઝરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન માસૂમ નિરજકુમારે પણ દમ તોડી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા નિકીતાબેનને વધુ સારવાર માટે નંદુરબાર રિફર કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે મૃતક જયપાલસિંગના સાળા નરેન્દ્ર જયસીંગ ગીરાસેએ નિઝર પોલીસ મથકે કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.