તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

છેવાડાના વિસ્તારોમાં વહીવટી તંત્રની કામગીરી સુદ્રઢ બને અને સરકારી યોજનાઓનો લાભ પ્રત્યેક માનવી સુધી પહોંચે તેવા આશય સાથે તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ ઉચ્છલ તાલુકાના ભીંતખુર્દ, માણેકપુર, ધજ જેવા છેવાડાના ગામડાઓની મુલાકાત લીધી હતી. નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમ મુજબ કલેકટરશ્રીએ ભીંતખુર્દ, માણેકપુર,અને ધજ ગ્રામ પંચાયત કચેરીઓની વિઝીટ લઈને ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામજનોને આપવામાં આવતી સેવાઓ, વિવિધ યોજનાઓના અમલીકરણ તેમજ દસ્તાવેજી કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમણે ગ્રામ પંચાયત સ્તરે નાગરિકોને સમયસર અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. સાથે જ સ્વચ્છતા, સુવિધા અને લોકોની અરજીઓના ઝડપી નિકાલ પર ભાર મૂક્યો હતો.

તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને ગામમાં ચાલી રહેલા વિકાસકામોની સમીક્ષા કરી હતી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પીવાના અને સિંચાઈના પાણીની સુવિધા અંગે લોકો પાસેથી વિગતો મેળવી હતી, જેથી આગામી સમયમાં પાણીની અછત જેવી સમસ્યાઓનું કાયમી નિવારણ લાવી શકાય. સાથોસાથ કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ શિક્ષણ સ્તરને ચકાસવા માટે કલેક્ટરશ્રીએ ધજ પ્રાથમિક શાળાના ૧ થી ૫ ધોરણના ૨૫ જેટલાં વિદ્યાર્થીઓને તેમણે પોતે વર્ગખંડમાં જઈને પુસ્તક વાંચન કરાવ્યુ હતું. સરકારી શાળાના બાળકોની વાંચન ક્ષમતા અને આત્મવિશ્વાસ જોઈને કલેક્ટરશ્રી અત્યંત પ્રભાવિત થયા હતા અને શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી.