તાજા સમાચાર
LATEST NEWS: સુરત ગ્રામ્ય પોલીસનો પ્રશંસનીય લોકાભિમુખ અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪૨.૮૪ લાખના ૨૨૨ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા | LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | Latest News Tapi : તાપીમાં 23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ: વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશ | Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Latest News Tapi: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરે ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ | Latest News Tapi: વ્યારામાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
LATEST NEWS: સુરત ગ્રામ્ય પોલીસનો પ્રશંસનીય લોકાભિમુખ અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪૨.૮૪ લાખના ૨૨૨ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા | LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | Latest News Tapi : તાપીમાં 23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ: વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશ | Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Latest News Tapi: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરે ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ | Latest News Tapi: વ્યારામાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી |

LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જનતાની સેવાના શપથ લઈને ભ્રષ્ટાચારના કાદવમાં ખરડાયેલા સરકારી બાબુઓ પર એસીબીએ ફરી એકવાર સકંજો કસ્યો છે. આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (RAC) અને હાલ ફરજ મોકૂફી હેઠળ રહેલા વર્ગ-૧ ના સિનિયર સ્કેલના મહિલા અધિકારી કેતકીબેન વ્યાસ વિરૂદ્ધ એસીબીએ રૂ.૩,૫૬,૦૩,૯૧૦/- ની અપ્રમાણસર મિલકત વસાવવાનો ગુનો નોંધીને કાયદાનો કોરડો ઝીંક્યો છે.

એસીબીની તપાસમાં સામે આવ્યું છે કે, વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૩ ના ૧૧ વર્ષના સમયગાળા દરમિયાન કેતકીબેન વ્યાસે પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો સરેઆમ દુરઉપયોગ કર્યો હતો. કાયદેસરની આવકથી ધર ધરાઈ ન હોય તેમ, તેમણે ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતરસમો અપનાવીને પોતાની કાયદેસરની આવક કરતાં ૬૮.૮૪% જેટલી અધધ અપ્રમાણસર મિલકત એકત્ર કરી હતી. આ પાપની કમાણી તેમણે પોતાના અને પરિવારજનોના નામે સ્થાવર તથા જંગમ મિલકતોમાં રોકીને ઠાઠ જમાવ્યો હતો. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને અમદાવાદ એસીબીએ હવે આ મામલે કડક તપાસ શરૂ કરી છે. સત્તાની ખુરશી પર બેસીને સરકારી તિજોરી અને જનતાને લૂંટનારા આવા ભ્રષ્ટાચારીઓ સામે એસીબીની આ કાર્યવાહી અન્ય લાંચિયા બાબુઓ માટે લાલબત્તી સમાન છે.