Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઈઝરાયેલની ઈરાનમાં એર સ્ટ્રાઈક, 7 લોકોના મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઈઝરાયેલના હવાઈ હુમલામાં દમાસ્કસમાં ઈરાની એમ્બેસીના કોન્સ્યુલર ડિવિઝનની ઈમારતને નુકસાન થયું હતું. મળતી માહિતી મુજબ, બિલ્ડિંગની અંદર હાજર તમામ લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે. સીરિયાના સરકારી મીડિયાએ સોમવારે આ જાણકારી આપી. ઈરાનના અરબી ભાષાના સરકારી ટેલિવિઝન અલ-આલમ અને અરબી ક્ષેત્રના ટેલિવિઝન સ્ટેશન અલ-મદિને જણાવ્યું હતું કે હુમલામાં ઈરાની લશ્કરી સલાહકાર જનરલ અલી રેઝા જહાદી માર્યા ગયા હતા. જહાદીએ અગાઉ 2016 સુધી લેબનોન અને સીરિયામાં ઈરાનના ચુનંદા કુદ્સ ફોર્સનું નેતૃત્વ કર્યું હતું. ઈરાનના રાજદૂત હુસૈન અકબરીએ ઈઝરાયેલની નિંદા કરી અને કહ્યું કે હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે બચાવ કર્મચારીઓને હજુ પણ આશંકા છે કે લોકો કાટમાળ નીચે દટાયા છે.

રાજદૂતે કહ્યું કે બિલ્ડિંગની રક્ષા કરી રહેલા બે પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. સીરિયાના વિદેશ મંત્રી ફૈઝલ મેકદાદે ઈરાનના રાજદૂત અકબરીને મળ્યા બાદ વધુ વિગતો આપ્યા વગર મીડિયાને જણાવ્યું કે ઘણા લોકો માર્યા ગયા છે. ઈરાનના સરકારી ટેલિવિઝનએ તેના સમાચારમાં જણાવ્યું કે ઈરાની રાજદૂતનું નિવાસસ્થાન દૂતાવાસની બાજુમાં આવેલી કોન્સ્યુલર બિલ્ડિંગમાં હતું. રાજ્ય સમાચાર એજન્સી SANA, એક સૈન્ય સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે, માઝેહના ઉચ્ચ સુરક્ષા વિસ્તારની ઇમારત જમીન પર ધ્વસ્ત થઈ ગઈ છે. રાહતકર્મીઓ કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને શોધી રહ્યા છે. ઇઝરાયેલી સેનાએ તરત જ ટિપ્પણી કરી ન હતી.