તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજપીપળા: વરસાદી ઋતુ દરમિયાન નર્મદા નદીમાં પાણીના પ્રવાહમાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ગરુડેશ્વર ખાતે વહીવટી તંત્ર દ્વારા દત્ત મંદિર નજીક નર્મદા નદીના ઓવારા ખાતે ડૂબતા વ્યક્તિને બચાવવાની મોકડ્રિલ યોજાઈ હતી. આ અભ્યાસનો મુખ્ય હેતુ આપત્તિ સમયે ઝડપી અને અસરકારક બચાવ કામગીરી માટે વિવિધ વિભાગોની તૈયારીને વધુ મજબૂત બનાવવાનો હતો.

મોકડ્રિલ દરમિયાન નદીમાં ડૂબતા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવાની સમગ્ર પ્રક્રિયાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બચાવ માટે જરૂરી સાધનોનો યોગ્ય ઉપયોગ, બચાવ દળો વચ્ચેનું સંકલન અને આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ કેવી રીતે આપવો તેની વ્યવહારુ તાલીમ પણ આપવામાં આવી હતી.વહીવટી તંત્રે જણાવ્યું હતું કે આવી મોકડ્રિલના આયોજનથી બચાવ દળોની કાર્યક્ષમતા વધે છે અને વાસ્તવિક આપત્તિ સમયે જાનહાનિ ઘટાડવામાં મહત્વપૂર્ણ મદદ મળે છે.

આ સાથે નાગરિકોને વરસાદી ઋતુ દરમિયાન નદી, તળાવ અને અન્ય જળાશયોની આસપાસ પૂરતી સાવચેતી રાખવા, જોખમી સ્થળોએ જવાનું ટાળવા તેમજ કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક સંબંધિત વિભાગોને જાણ કરીને તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.મોકડ્રિલમાં ગરુડેશ્વરના મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર (PI), નાયબ મામલતદાર (ડિઝાસ્ટર), એસઆરડી (SRD) અને જીઆરડી (GRD)ના જવાનો સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.