Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મ્યાનમાર દેશમાંથી હથિયારો ઘૂસાડવામાં આવી રહ્યા હોવાનો બાતમી મળતા એજન્સીઓ એલર્ટ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

હિંસાગ્રસ્ત મણિપુર રાજ્યમાં મ્યાંમાર દેશમાંથી હથિયારો ઘૂસાડવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. એજન્સીઓને મળેલા રિપોર્ટ મુજબ મ્યાંમારથી આ હથિયારો મણિપુર થઇને બાદમાં દેશના અન્ય રાજ્યો સુધી પહોંચાડવામાં આવે છે. આ રિપોર્ટ બાદ એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે. મણિપુરની ઇમ્ફાલ ઘાટી સ્થિત ઉગ્રવાદી સંગઠન વીબીઆઇજીના નેતાની ધરપકડ બાદ સુરક્ષા એજન્સીઓએ મ્યાંમારથી હથિયારોની તસ્કરી મુદ્દે તપાસ વધુ ઝડપી બનાવી દીધી છે. હથિયારોની આ તસ્કરીની અસર દેશભરમાં થવાની એજન્સીઓને શંકા છે. એજન્સીઓને માહિતી મળી છે કે, મ્યાંમારથી હથિયારો ઘૂસાડવામાં આવે છે જે બાદ તેને બનાવટી દસ્તાવેજો અને રજિસ્ટર કરાયેલા ગન હાઉસની મદદથી દેશના અન્ય હિસ્સામાં પહોંચતા કરવામાં આવે છે.

મણિપુર પોલીસે સપ્તાહ પહેલા સ્વઘોષિત લેફ્ટનન્ટ અને ઉગ્રવાદી સંગઠન યુએનએલએફ-પીના સેક્રેટરી સુમેન્દ્રો ઉર્ફે રિચર્ડની ધરપકડ કરી હતી. ત્યારબાદ હથિયાર તસ્કરીના રેકેટ મુદ્દે તપાસ વધુ ઝડપી બનાવવામાં આવી હતી. વર્ષ ૨૦૨૩માં આ ઉગ્રવાદી સંગઠને શસ્ત્ર વિરામની જાહેરાત કરી હતી અને શાંતિ કરાર પણ કર્યા હતા. જોકે હાલ તેના જ એક નેતા દ્વારા હથિયાર તસ્કરીનું રેકેટ ચલાવાઇ રહ્યંુ હોવાથી આ શસ્ત્ર વિરામ પર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે કહ્યું હતું કે આ સંગઠન શસ્ત્ર વિરામ બાદ પણ હથિયારો જમા કરાવવામાં નિષ્ફળ રહ્યું છે. સંગઠનના કેટલાક લોકો હથિયારોની તસ્કરીમાં સામેલ છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!