તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

વાંસદા-વઘઈ રોડ પર કારની અડફેટે બાઇક સવાર પિતાનું મોત, કાકા ઇજાગ્રસ્ત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાંસદા-વઘઈ રોડ પર મોટીભમતી ગામના કટ પાસે શનિવારે રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક અજાણી ફોર વ્હીલ ગાડીએ મોટરસાયકલને અડફેટે લેતા પિતાનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે.

મળતી માહિતી મુજબ, ઘોડમાળ ગામના રહીશ શુકરભાઈ સોમલીયાભાઇ ચવધરી (ઉં.વ.55) અને તેમના ભાઈ ઈશ્વરભાઈ ચવધરી પોતાની મોટરસાયકલ નંબર GJ-21-P-7510 પર લગ્નની કંકોત્રી વહેંચીને પરત ફરી રહ્યા હતા. રાત્રિના આશરે 9:00 વાગ્યાના સુમારે મોટીભમતી ગામના કટ પાસે સામેથી આવતી એક સફેદ રંગની રેનૌલ્ટ સ્કેલા કાર નંબર GJ-21-AH-4457 ના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં શુકરભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ઈશ્વરભાઈને જમણા પગે ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચતા તેઓ હાલ સારવાર હેઠળ છે.મૃતકના પુત્ર મિનેશભાઇ ચવધરીની ફરિયાદના આધારે વાંસદા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.