તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લાની મોરદેવી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન એક મોટો વિવાદ સામે આવ્યો છે. મોરદેવી મતવિસ્તાર નંબર ૯ (ST અનામત) બેઠકના ભાજપના ઉમેદવાર જોસેફભાઈ કબીરભાઈ ગામીત સામે પ્રતિસ્પર્ધી અપક્ષ ઉમેદવારે ગંભીર કાનૂની આક્ષેપો સાથે રિટર્નિંગ ઓફિસરને લેખિત ફરિયાદ સોંપી છે.

અપક્ષ ઉમેદવાર કેવસિંગભાઈ ચૌધરીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરદેવી બેઠક અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત છે. ભાજપના ઉમેદવાર જોસેફભાઈ ગામીતે સોગંદનામામાં પોતાની જ્ઞાતિ ‘હિન્દુ ગામીત’ દર્શાવી છે. જોકે, ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે વાસ્તવિકતામાં ઉમેદવાર ખ્રિસ્તી ધર્મ પાળે છે, જે બાબતના પુરાવા તરીકે ચર્ચના ફોટા અને કાર્યક્રમના ફોટોગ્રાફ્સ પણ રજૂ કરવામાં આવ્યા છે.

ફરિયાદમાં બંધારણીય આદેશ (Constitution (Scheduled Tribes) Order, 1950) ના પેરા ૩ અને ૪ નો ઉલ્લેખ કરીને જણાવાયું છે કે, જો કોઈ વ્યક્તિ હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયનો અન્ય ધર્મ અપનાવે છે, તો તે અનુસૂચિત જનજાતિના અનામત લાભો માટે પાત્ર રહેતી નથી. વધુમાં, સુપ્રીમ કોર્ટના ‘કે.પી. મનુ વિરુદ્ધ સ્ક્રુટીની કમિટી’ જેવા મહત્વના ચુકાદાઓ ટાંકીને દલીલ કરવામાં આવી છે કે ધર્મ પરિવર્તનથી ST દરજ્જો આપોઆપ રદ થાય છે.ઉમેદવારી રદ કરવા અને ફોજદારી કાર્યવાહીની માંગ કરી છે.અપક્ષ ઉમેદવારે ખોટી માહિતી આપવા બદલ જોસેફભાઈ ગામીતનું ઉમેદવારી પત્રક તાત્કાલિક રદ કરવામાં આવે તેમજ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ (R.P. Act 1951) ની કલમ 125A હેઠળ ખોટું સોગંદનામું રજૂ કરવા બદલ ઉમેદવાર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે. હાલમાં આ મામલે ચૂંટણી અધિકારી (રિટર્નિંગ ઓફિસર) સમક્ષ ન્યાયિક કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવી છે. આ વિવાદને કારણે સ્થાનિક રાજકારણમાં મોટો વળાંક આવવાની શક્યતા દેખાઈ રહી છે.