Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

યુપીના બાગપતમાં આવેલી આસ્થા હોસ્પિટલમાં આગની ઘટના : તમામ 12 દર્દીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

છેલ્લા ઘણા દિવસોથી દેશમાં આગના બનાવોમાં વધારો જોવા મળ્યો છે, જે ખુબ જ ચિંતાજનક છે, તેવોજ એક કિસ્સો ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લાની એક હોસ્પિટલમાં બની હતી જેમાં બરૌતમાં દિલ્હી-સહારનપુર હાઈવે પર આવેલી આસ્થા હોસ્પિટલમાં ઉપરના માળ પર આગ લાગી હતી, આ આગની ઘટના ના કારણે દર્દીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ફાયર બ્રિગેડની 4 ગાડીઓએ સમયસર આગને કાબૂમાં લીધી હતી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ બાળકો સહિત તમામ 12 દર્દીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

ચીફ ફાયર ઓફિસર અમરેન્દ્ર પ્રતાપસિંહે અકસ્માતની પુષ્ટિ કરી હતી. આસ્થા હોસ્પિટલમાં આગની ઘટના અંગે ચીફ ફાયર ઓફિસર અમરેન્દ્ર  પ્રતાપ સિંહે કહ્યું કે, કોઈ જાનહાનિ થઈ નથી. આગલા ગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગની માહિતી મળતાં જ એસડીએમ અમરચંદ વર્મા, સીઓ સવિરત્ન ગૌતમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં દાખલ બાળકો સહિત અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. જોકે તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.

માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. ફાયરની કુલ 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી, આગને કાબૂમાં લેવામાં આવી છે. અંદર 12 દર્દીઓ હતા અને તે બધા બચી ગયા છે. આ આગના બનાવ અંગે મળતી માહિતી મુજબ સોમવારે વહેલી સવારે સાડા ચાર વાગ્યાંની આસપાસ આસ્થા હોસ્પિટલના ઉપરના માળે અચાનક આગ ફાટી નીકળી હતી. હોસ્પિટલમાં હાજર સિક્યોરિટી ગાર્ડે હોસ્પિટલના સંચાલક, પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં જ ફાયર  બ્રિગેડની  અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!