Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણની ઘટના બની

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. આ મારપીટની ઘટના ભગવાન મહાકાલની શયન આરતી દરમિયાન પ્રવેશને લઈને થઈ હતી.  બીજી તરફ જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં ભક્તોએ છેલ્લા બે દિવસમાં 10 જમ્બો કુલર દાનમાં આપ્યા છે. આ કુલર ટનલ, વિશ્રામધામ વગેરે સ્થળોએ લગાવવામાં આવશે. જેના કારણે પ્રચંડ ગરમીમાં દર્શનાર્થીઓને રાહત મળશે. પીઆરઓ ગૌરી જોશીએ જણાવ્યું કે, 28 મે’ના રોજ નવી દિલ્હીના શ્રદ્ધાળુ સંદીપ કપૂરે મંદિર સમિતિને 6 જમ્બો ટેન્ટ કુલર ભેટમાં આપ્યા છે. એવી જ રીતે બુધવારે ઉજ્જૈનના રહેવાસી પવન વિશ્વકર્મા, રાજેશ શ્રીવાસ્તવ, યોગેશ અગ્રવાલ અને હરીશ દેવનાનીએ 4 જમ્બો કુલર ભેટ આપ્યા છે. મંદિર સમિતિ વતી મદદનીશ વહીવટદાર મૂળચંદ જુનવાલે કુલર મેળવી દાનદાતાઓનું સન્માન કર્યું હતું.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!