તાજા સમાચાર
નકલી અને નશાકારક દવાઓ સામે ગુજરાત સરકારની સર્જિકલ સ્ટ્રાઈક: રાજ્યભરમાં દરોડા, કરોડોનો જથ્થો જપ્ત | ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોઈ સોનું ખરીદવા આવવું ભારે પડ્યું: ભુજમાં વેપારીને ‘મોટા સાહેબ’ બનીને લૂંટતી ટોળકી | ઉનાળામાં સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં ચલાવી લેવાય: શેરડીનો રસ અને આઈસ ગોલાના 1700થી વધુ નમૂનાઓની ચકાસણી. | સુરતના રત્નકલાકારો માટે AI તક લાવશે: નોકરીઓ નહીં જાય, પણ સ્કીલ અપગ્રેડ કરવી પડશે | સાંસ્કૃતિક ગૌરવ: વરલી પેઇન્ટિંગ અને આદિવાસી સંસ્કૃતિ બનશે આકર્ષણનું કેન્દ્ર,પ્રવાસન માટે માસ્ટર પ્લાન તૈયાર | ઉચ્છલ પાસે 9 ભેંસો ભરેલી ટ્રક ઝડપાઈ: પશુઓ પ્રત્યે ક્રૂરતા બદલ બે શખ્સો સામે ગુનો નોંધાયો |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
નકલી અને નશાકારક દવાઓ સામે ગુજરાત સરકારની સર્જિકલ સ્ટ્રાઈક: રાજ્યભરમાં દરોડા, કરોડોનો જથ્થો જપ્ત | ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોઈ સોનું ખરીદવા આવવું ભારે પડ્યું: ભુજમાં વેપારીને ‘મોટા સાહેબ’ બનીને લૂંટતી ટોળકી | ઉનાળામાં સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં ચલાવી લેવાય: શેરડીનો રસ અને આઈસ ગોલાના 1700થી વધુ નમૂનાઓની ચકાસણી. | સુરતના રત્નકલાકારો માટે AI તક લાવશે: નોકરીઓ નહીં જાય, પણ સ્કીલ અપગ્રેડ કરવી પડશે | સાંસ્કૃતિક ગૌરવ: વરલી પેઇન્ટિંગ અને આદિવાસી સંસ્કૃતિ બનશે આકર્ષણનું કેન્દ્ર,પ્રવાસન માટે માસ્ટર પ્લાન તૈયાર | ઉચ્છલ પાસે 9 ભેંસો ભરેલી ટ્રક ઝડપાઈ: પશુઓ પ્રત્યે ક્રૂરતા બદલ બે શખ્સો સામે ગુનો નોંધાયો |

સાંસ્કૃતિક ગૌરવ: વરલી પેઇન્ટિંગ અને આદિવાસી સંસ્કૃતિ બનશે આકર્ષણનું કેન્દ્ર,પ્રવાસન માટે માસ્ટર પ્લાન તૈયાર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ડાયમંડ નગરી સુરતમાં શરૂ થયેલી બે દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે કેટલીક મોટી જાહેરાતો થઈ હતી. આ દરમિયાન ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ મજબૂત કરવા અને પ્રવાસન સ્થળોનો પ્રોત્સાહન આપવા માટે રૂ.220 કરોડ ફાળવ્યા હતા. રૂરલ, ટ્રાયબલ એન્ડ વેડિંગ ટૂરિઝમ વિષય પર આયોજિત સેમિનાર દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આદિવાસી અને ગ્રામીણ પટ્ટાઓ, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની પ્રવાસન ક્ષમતાઓને વિકસાવવા માટે સક્રિયપણે કામ કરી રહી છે.સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા નાણાકીય વર્ષ 2023-24માં 1.13 લાખ હતી, જે 2025-26માં વધીને 1.19 લાખ થઈ છે. જે પ્રકૃતિ આધારિત સ્થળોમાં વધતા જતા રસને દર્શાવે છે.સૂત્રોએ ઉમેર્યું કે,  સરકાર ડાંગ અને નર્મદા જેવા પ્રદેશોમાં ઇકો-ટૂરિઝમ, ગ્રામીણ પ્રવાસન અને આદિવાસી હેરિટેજ સર્કિટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ પહેલનો ઉદ્દેશ્ય સાતત્યપૂર્ણ વિકાસની સાથે સાંસ્કૃતિક અનુભવ મેળવવા ઈચ્છતા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવાનો છે.

આ યોજનાના મુખ્ય આકર્ષણોમાં માળખાગત સુવિધાઓનું અપગ્રેડેશન સામેલ છે, જેમાં સાપુતારામાં સનરાઈઝ પોઈન્ટના વિકાસ માટે ₹9.85 કરોડનો પ્રોજેક્ટ પણ સામેલ છે.તેમજ આદિવાસી વિસ્તારોમાં વેડિંગ ટૂરિઝમને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.આ વ્યૂહરચના સ્થાનિક સંસ્કૃતિ અને પર્યાવરણને જાળવી રાખીને નવી પ્રવાસન પ્રોડક્ટ્સ બનાવવા પર કેન્દ્રિત છે.વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં નિષ્ણાતોએ આદિવાસી પરંપરાઓ અને પ્રાકૃતિક સંસાધનોની સુરક્ષા માટે જવાબદાર પ્રવાસન પ્રથાઓ પર પણ ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં પરંપરાગત વરલી પેઇન્ટિંગ્સનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે પ્રવાસન પ્રમોશનમાં સ્થાનિક કલા અને સંસ્કૃતિને સાંકળવાનું મહત્વ સમજાવે છે. ગુજરાતના આદિવાસી પટ્ટાને વાઈબ્રન્ટ ટૂરિઝમ હબમાં ફેરવવા માટે લક્ષિત રોકાણ અને સામુદાયિક ભાગીદારી ચાવીરૂપ બનશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.