Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ભારતીય સિનેમાનાં જનક દાદાસાહેબ ફાળકે પર એક સાથે બે ફિલ્મ બનવાની

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

એક તરફ આમિર ખાન અને રાજકુમાર હિરાણીએ  ભારતીય સિનેમાના જનક દાદાસાહેબ ફાળકેની બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે તો બીજી તરફ એસએસ રાજામૌલીએ જુનિયર એનટીઆરને લઇને ફાળકે પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. રાજામૌલીએ ૨૦૨૩માં જ દાદાસાહેબ ફાળકે પણ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી અને ફિલ્મનું નામ ‘મેડ ઇન ઇન્ડિયા’ રાખ્યું હતું. હવે આમિરખાન અને રાજકુમાર હિરાણીની જોડીએ દાદાસાહેબ ફાળકેની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી નાંખી છે. આમિરની ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર ૨૦૨૫થી શરૂ થવાનું છે.

લોસએન્જેલસમાં એ જમાનાને ધ્યાનમાં રાખી ફિલ્મની એઆઇ ડિઝાઇન તૈયાર કરી નાંખવામાં આવી છે. આ ફિલ્મની પટકથા પર રાજકુમાર હિરાણી, અભિજીત જોશી, હિન્દુકુશ ભારદ્વાજ અને આવિષ્કાર ભારદ્વાજ ચાર વર્ષથી કામ કરી રહ્યાં છે. દાદાસાહેબ ફાળકેના પૌત્ર ચન્દ્રશેખર શ્રીકૃષ્ણ પુસાલકરે પણ રાજકુમાર હિરાણીના આ પ્રોજેક્ટને ટેકો જાહેર કર્યો છે.

બીજી તરફ રાજામૌલીની ‘મેડ ઇન ઇન્ડિયા’ની ૨૦૨૩માં જાહેરાત થઇ  ફિલ્મની પટકથાનો ફાઇનલ ડ્રાફ્ટ નક્કી થઇ ગયો છે.  આ ફિલ્મમાં દાદાસાહેબ ફાળકેની નજરે ભારતીય સિનેમાના આરંભને દર્શાવવામાં આવશે. અગાઉ આ વિષય પર મરાઠીમાં ૨૦૦૯માં ‘હરિશ્ચન્દ્રાચી ફેકટરી’ બની ચૂકી છે જેને ૨૦૨૩માં નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. હવે ફાળકે તરીકે લોકો આમિરને સ્વીકારે છે કે, જુનિયર એનટીઆરને તે જોવાનું રસપ્રદ બની રહેશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!