તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

માણસા પાંજરાપોળ પાસે ગમખ્વાર અકસ્માત: ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું કરૂણ મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર જિલ્લાના માણસા શહેરના પાંજરાપોળ પાસેના વળાંક પર આજે બપોરના સમયે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક મોટરસાઇકલ ટ્રકના પાછળના ભાગે અથડાઈને ટાયર નીચે આવી જતાં બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પર પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

મળતી માહિતી પ્રમાણે મૂળ મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના રહેવાસી અને ટ્રક ડ્રાઈવર કાનાભાઈ અમરાભાઈ ખાંટે માણસા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ પોતાની દસ ટાયરવાળી ટ્રક GJ-31-T-6860 માં આકાશ સિરામિકમાંથી ટાઇલ્સ ભરીને લુણાવાડા જવા નીકળ્યા હતા. બપોર જ્યારે તેમની ટ્રક માણસા પાંજરાપોળ પાસેના વળાંક પરથી પસાર થઈ રહી હતી, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલી એક મોટરસાઇકલ GJ-02-EE-9523ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બાઈક ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે બાઈક ચાલક આનંદ જ્યોતિભાઈ રાવળ (રહે.ઉબખલ, તા.વિજાપુર) સીધો ટ્રકના પાછળના ટાયર નીચે આવી ગયો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે આનંદનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તુરંત એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઇજાગ્રસ્તોને માણસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.માણસા પોલીસે આ મામલે ટ્રક ચાલક કાનાભાઈની ફરિયાદના આધારે મૃતક બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.