તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

હવાઈ મુસાફરીમાં સીટ સિલેક્શન મુદ્દે સરકાર અને એરલાઈન્સ સામસામે: ટિકિટના ભાવ વધવાની ભીતિ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નવી દિલ્હી:દેશમાં હવાઈ મુસાફરોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલા નવા નિયમ બાદ ઉડ્ડયન ક્ષેત્રમાં મોટો વિવાદ છેડાયો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (MoCA) એરલાઈન્સને દરેક ફ્લાઈટમાં 60 ટકા સીટો મુસાફરોને ફ્રીમાં એલોટ કરવાનો આદેશ આપતા એરલાઈન કંપનીઓએ તેનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે.

ફાઈલ ફોટો

મંત્રાલયે DGCAને આપેલા નિર્દેશ મુજબ, એરલાઇન્સે ફ્લાઈટની કુલ ક્ષમતાના ઓછામાં ઓછી 60 ટકા બેઠકો પર સીટ પસંદગીનો ચાર્જ વસૂલવાનું બંધ કરવું પડશે. હાલમાં એરલાઇન્સ મનપસંદ સીટ માટે રૂ. 200 થી રૂ.2,100 સુધીની ફી વસૂલે છે. સરકારનો ઉદ્દેશ્ય મુસાફરો પરના આ વધારાના આર્થિક બોજને ઘટાડવાનો છે.સરકારના આ નિર્ણય સામે એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેવી દિગ્ગજ કંપનીઓ એક થઈ ગઈ છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA) મુજબ સીટ પસંદગીની ફી એ એરલાઇન્સની આવકનો મોટો સ્ત્રોત છે. તેના વગર ઓપરેશનલ ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ બનશે.ઈંધણના વધતા ભાવ અને એરપોર્ટ ચાર્જ સામે એરલાઇન્સ પહેલેથી જ ઓછા પ્રોફિટ માર્જિન પર કામ કરી રહી છે.

જો આ સોર્સ બંધ થશે, તો કંપનીઓ નુકસાનની ભરપાઈ કરવા માટે બેઝ ફેરમાં વધારો કરશે, જે અંતે મુસાફરોને જ મોંઘું પડશે. હાલમાં આ મામલે સરકાર અને એરલાઈન્સ વચ્ચે મડાગાંઠ સર્જાઈ છે. જો સરકાર નમતું ન જોખે, તો આગામી દિવસોમાં હવાઈ મુસાફરીના મૂળભૂત ભાડામાં ધરખમ વધારો જોવા મળી શકે છે.