મ્યાનમાર અને બેંગકોકમાં ભૂકંપના કારણે તબાહીનો માહોલ સર્જાયો હતો. આ ભૂકંપનું કારણ સગાઈંગ ફોલ્ટ હતું. ફોલ્ટને ઈન્ટરનેટ પર મેપના માધ્યમથી સરળતાથી જોઈ શકાય છે. આઈઆઈટી કાનપુરના અર્થ સાયન્સિસ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર જાવેદ મલિકે સગાઈંગ ફોલ્ટને અત્યંત જોખમી ગણાવતાં ભારતમાં પણ આ પ્રકારનો ભૂકંપ આવવાની આગાહી કરી છે. જાવેદ મલિકે જણાવ્યું કે, સિલિગુડીમાં ગંગા-બંગાળ ફોલ્ટ છે. આ બંને ફોલ્ટની વચ્ચે અન્ય ઘણી ફોલ્ટલાઈન છે. જેમાં એક ફોલ્ટ સક્રિય થવા પર બીજી ફોલ્ટ તુરંત સક્રિય થઈ શકે છે.
સગાઈંગ અત્યંત જૂની ફોલ્ટ છે. તે ઉત્તર-પૂર્વના શિયર ઝોન અરાકાનથી અંદમાન અને સુમાત્રા સુધીના સબડક્શન ઝોનનો હિસ્સો છે. જે જમીનની ઉપર દેખાય છે.
આપણે આ ક્ષેત્રમાં અત્યંત સાવધાનીપૂર્વક કામ કરવુ જોઈએ. ભૂકંપના પ્રભાવને ઘટાડવા માટે કામ કરવુ જોઈએ. જેમાં ગંગા-બંગાળ ફોલ્ટ : આ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જેમાં સગાઈંગ ફોલ્ટ જેવી ગતિ છે, આ ફોલ્ટ ઝોન સપાટી પર જોવા મળે છે, ડાવકી, કોપલી, ડિબ્રુચૌતાંગ ફોલ્ટ ઝોન : તે ગંગા-બંગાળ અને સગાઈંગ ફોલ્ટ વચ્ચે સ્થિત છે, સગાઈંગ ફોલ્ટ : આ એક સક્રિય ફોલ્ટ છે, જે મ્યાનમારમાં ભૂકંપનું કારણ બની છે. તે ભારત માટે પણ ભૂકંપના સંકેત આપી શકે છે.
પ્રો.મલિકે કહ્યું કે, તમે એમ ન કહી શકો કે સગાઈંગ અને ગંગા-બંગાળ વચ્ચે કોઈ કનેક્શન નથી. સમગ્ર વિસ્તાર દબાણ હેઠળ છે. ત્યાં સતત ઊર્જાનો સંચય થતો રહે છે. એક ભૂકંપ બીજા ભૂકંપને ઉત્તેજિત કરી શકે છે, એ વાતને નકારી શકાય નહીં. આને ‘ટ્રિગર સ્ટ્રેસ’ કહેવાય છે. અહીં જોવાનું રહેશે કે શું ઉત્તરથી દક્ષિણ તરફ આવી પ્રવૃત્તિઓ વધી છે. જોકે ભૂકંપનું કારણ : એક ભૂકંપ બીજા ભૂકંપને ઉત્તેજિત કરી શકે છે, ઉર્જાનો સંચય : સમગ્ર વિસ્તાર દબાણ હેઠળ છે અને ઊર્જા સતત સંચિત થઈ રહી છે, ભાવિ સંભાવના : ટ્રિગર સ્ટ્રેસની શક્યતા હંમેશા રહે છે, ઓછી તીવ્રતાના ભૂકંપ પણ નુકસાની પ્રોફેસર મલિકે આગળ કહ્યું કે ફોલ્ટ લાઇન ઘણી ઊંડી છે, જે 100-150 કિમીની ઊંડાઈ સુધી જઈ શકે છે. પરંતુ 5, 10 અને 20 કિમીની ઊંડાઈએ આવેલા ભૂકંપ વધુ નુકસાન પહોંચાડી શકે છે કારણ કે તે છીછરી ઊંડાઈમાંથી ઊર્જા મેળવે છે.
