Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

જલાલપોરનાં સગીરનું અલ્હાબાદ ખાતે ચાલુ ટ્રેનમાંથી પડી જવાથી મોત નિપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નવસારીના જલાલપોર રોડલીમડા ચોક વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય સગીરનું ઉત્તરપ્રદેશના અલ્હાબાદ ખાતે ચાલુ ટ્રેન માંથી પડી જવાથી મોત નિપજ્યું હતું. પાંચ મિત્રો નેપાળ ફરવા માટે ગયા હતાં. જ્યાંથી પરત થતી વખતે આ ઘટના સર્જાય હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિજયભાઇ તન્ના (રહે.બંસીધર એપાર્ટમેન્ટ, તિરંગાની સામે, લીમડાચોક, જલાલપોર રોડ, નવસારી)નાં ફરસાણની ફેક્ટરીનાં ધંધા સાથે સંકળાયેલા છે. તેમના ત્રણ સંતાનોમાં એક પુત્ર અને બે પુત્રી છે. મોટો પુત્ર નિલ ઉ.વ.૧૭ નો ગત એક સપ્તાહ પહેલા તારીખ ૧૮મી મે ના રોજ નવસારીમાં રહેતા ૪ મિત્રોની સાથે નેપાળ ફરવા માટે ગયો હતો.

નેપાળ સહિતના સ્થળોએ હરવા ફરવાની મજા માણ્યા બાદ ઉત્તરપ્રદેશથી શનિવારે રાત્રે ટ્રેનમાં બેસી નવસારી આવવા માટે નીકળ્યા હતાં. ટ્રેન રવિવારનાં સવારે ૭ વાગ્યાના અરસામાં અલ્હાબાદથી પસાર થઈ રહી હતી. ત્યારે દરવાજા પાસે બેસેલા નિલ તન્નાને ઝોકુ આવી જતા ચાલુ ટ્રેન માંથી નીચે પટકાયો હતો. ટ્રેનમાંથી સાથી મિત્ર પડી જતા તેની ચારેય મિત્રોએ બુમાબુમ કરી ટ્રેનને ચેન પુલીંગથી અટકાવ્યા બાદ નીચે પડી ગયેલા મિત્ર નિલને સારવાર માટે લઇ જાય તે પહેલા જ ગંભીર ઇજાના કારણે તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ સગીર યુવક નિલના પરિવાર અને લીમડાચોક વિસ્તારમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. સોમવારની સાંજે ઉત્તરપ્રદેશથી શબવાહીની મારફતે નિલનો મૃતદેહ જલાલપોરના નિવાસ સ્થાને લાવવામાં આવતા ગમગીનીના દ્રશ્યો જોવા મળ્યા હતાં. નેપાળનો પ્રવાસ પુરો કરી મિત્રો સાથે પરત ફરતી વખતે ચાલુ ટ્રેન માંથી પટકાતા મૃત્યુ પામેલા ૧૭ વર્ષીય નિલ તેના પરિવારમાં એક પુત્ર હતો. તેના અકાળ અવસાનથી માતા પિતાની સાથે તેની જોડીયા બહેનોએ લાડકવાયો ભાઈ ગુમાવ્યો હતો. ધોરણ ૧૦ ની પરીક્ષા બાદ નિલ અભ્યાસના બદલે તેના પિતાને મદદરૂપ બનતો હતો.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!