તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Latest News : ખંભાતમાં એસીબીનો સપાટો: અશાંતધારાના અહેવાલ માટે લાંચ લેતા પીએસઆઈ ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજ્યમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ એ.સી.બી.એ લાલ આંખ કરી છે.આણંદ જિલ્લાના ખંભાત સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ પંકજકુમાર પરષોત્તમભાઇ પટેલને રૂપિયા ૩૦,૦૦૦/-ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી એ.સી.બી.એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વિગત મુજબ, ફરિયાદી અને તેમના ભાગીદારે ખંભાત શહેરમાં જમીન ખરીદી પ્લોટિંગ પાડ્યું હતું. આ જમીન અશાંતધારા હેઠળ આવતી હોવાથી, પ્લોટ વેચાણ માટે જરૂરી મંજૂરી મેળવવા પ્રાંત કચેરી, ખંભાત ખાતે અરજી કરવામાં આવી હતી. નિયમ મુજબ, આ અરજી પર પોલીસ અભિપ્રાય જરૂરી હોવાથી તે તપાસ માટે ખંભાત સીટી પોલીસ સ્ટેશન મોકલવામાં આવી હતી.આ અરજીની તપાસ પીએસઆઈ પંકજકુમાર પટેલ કરી રહ્યા હતા. ફરિયાદી જ્યારે આ બાબતે તેમને મળ્યા, ત્યારે પીએસઆઈએ બે અરજીઓના હકારાત્મક અભિપ્રાય આપવાના બદલામાં અરજી દીઠ રૂપિયા ૧૫,૦૦૦/- લેખે કુલ રૂપિયા ૩૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી, તેમણે આ અંગે આણંદ એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે આજે તા.૦૧/૦૩/૨૦૨૬ના રોજ એ.સી.બી. દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ખંભાતના લાલ દરવાજા પોલીસ ચોકી પાસે જાહેર જગ્યા પર જ્યારે આરોપી પીએસઆઈ પંકજકુમાર પટેલે ફરિયાદી સાથે લાંચની માંગણી અંગે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ૩૦,૦૦૦/- સ્વીકાર્યા, ત્યારે જ એ.સી.બી.ની ટીમે તેમને ત્રાટકીને રંગેહાથ પકડી લીધા હતા.