તાજા સમાચાર
Latest News Gujarat : રૂ.550 કરોડના મની લોન્ડરિંગ કૌભાંડનો પર્દાફાશ, રેપિડો રાઈડર નીકળ્યો મુખ્ય સૂત્રધાર! | Latest News Gujarat : ગુજરાતમાં GST નોંધણીનો ધમધમાટ: 4 મહિનામાં 57 હજારથી વધુ નવા કરદાતાઓ ઉમેરાયા | Latest News Gujarat : ભરૂચની જામા મસ્જિદમાં મહિલાઓ દ્વારા પૂજાવિધિના વાયરલ વીડિયોથી વિવાદ: પોલીસ એલર્ટ | Latest News Gujarat : ગુજરાતમાં ઉનાળાનો વહેલો પ્રારંભ: રાજકોટ ૩૯ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર | Latest News Gujarat : રંગોત્સવના પર્વ પર કાળનો પંજો: ગુજરાતમાં ધૂળેટીના દિવસે નદી-તળાવમાં ડૂબી જવાથી ૨૫થી વધુના કરૂણ મોત | રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે તાપી સ્થિત તાપી-કરજણ ઉદ્ધવહન સિંચાઈ યોજનાના પમ્પિંગ સ્ટેશનોની મુલાકાતે |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
Latest News Gujarat : રૂ.550 કરોડના મની લોન્ડરિંગ કૌભાંડનો પર્દાફાશ, રેપિડો રાઈડર નીકળ્યો મુખ્ય સૂત્રધાર! | Latest News Gujarat : ગુજરાતમાં GST નોંધણીનો ધમધમાટ: 4 મહિનામાં 57 હજારથી વધુ નવા કરદાતાઓ ઉમેરાયા | Latest News Gujarat : ભરૂચની જામા મસ્જિદમાં મહિલાઓ દ્વારા પૂજાવિધિના વાયરલ વીડિયોથી વિવાદ: પોલીસ એલર્ટ | Latest News Gujarat : ગુજરાતમાં ઉનાળાનો વહેલો પ્રારંભ: રાજકોટ ૩૯ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર | Latest News Gujarat : રંગોત્સવના પર્વ પર કાળનો પંજો: ગુજરાતમાં ધૂળેટીના દિવસે નદી-તળાવમાં ડૂબી જવાથી ૨૫થી વધુના કરૂણ મોત | રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે તાપી સ્થિત તાપી-કરજણ ઉદ્ધવહન સિંચાઈ યોજનાના પમ્પિંગ સ્ટેશનોની મુલાકાતે |

Latest News Gujarat : રંગોત્સવના પર્વ પર કાળનો પંજો: ગુજરાતમાં ધૂળેટીના દિવસે નદી-તળાવમાં ડૂબી જવાથી ૨૫થી વધુના કરૂણ મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતમાં ધૂળેટીના પર્વની ઉજવણી દરમિયાન સાવધાની અને શિસ્તના અભાવે અનેક જગ્યાએ ગમખ્વાર ઘટનાઓ બની છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રંગોથી રમીને નદી, તળાવ કે કેનાલમાં ન્હાવા પડેલા ૨૫થી વધુ બાળકો અને યુવાનોના ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યા છે. સુરત, અમદાવાદ ગ્રામ્ય, મહીસાગર, અરવલ્લી અને અમરેલીમાં બનેલી આ ઘટનાઓએ તહેવારના આનંદને બેરંગ કરી દીધો છે.

સાંકેતિક તસ્વીર

અમદાવાદના કોતરપુર પાસે સાબરમતી નદીમાં ન્હાવા પડેલા કુબેરનગરના ચાર યુવાનોના ડૂબી જવાથી મોત થયા હતા, જેમાંથી એક યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. બીજી તરફ, માંડલના સીતાપુર પાસે આવેલા ઝોલાસર તળાવમાં પાંચ બાળકો ડૂબ્યા હતા, જેમાં બેનો બચાવ થયો હતો પણ ત્રણ માસૂમ બાળકો કાળનો કોળિયો બન્યા હતા.સુરતના માંગરોળના પાનસરા ગામે કીમ નદીમાં ન્હાવા પડેલા સંજય માંગુકિયા, ચંદ્રભૂષણ સિંહ અને હેપ્પી સિંહ નામના ત્રણ મિત્રોના મોત થયા હતા. જ્યારે બારડોલીના ઇસરોલી ગામે નદીમાં ન્હાવા પડેલા પાંચ મિત્રોમાંથી ચાર યુવાનો ડૂબી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ તમામના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

મહીસાગરના મુવાડા ગામે તળાવમાં ન્હાવા પડેલા ચાર યુવાનોના મોત થયા છે, જેમાં બે સગા ભાઈઓનો સમાવેશ થાય છે. અમિત, તુષાર, જયેશ અને વિપુલ નામના આ યુવાનોના મોતથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.અરવલ્લીમાં માલપુરના નવા જાંબુ ફળી ગામના બે પિતરાઈ ભાઈઓ જૈમિન અને રાયચંદ ડામોર (ધોરણ ૫ અને ૬) તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.અમરેલીના બહારપરા વિસ્તારનો એક યુવક શેત્રુંજી નદીમાં ન્હાવા જતા ડૂબી ગયો હતો. ઉપરાંત, મહેસાણાના કડી પાસે નર્મદા કેનાલમાં એક અને મોટી દઉં કેનાલમાં ન્હાવા પડેલા ચાર પૈકી બે યુવાનોના મોત નિપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

તંત્રની વારંવારની અપીલ છતાં બેદરકારી ભારે પડી : દર વર્ષે ધૂળેટીના પર્વે નદી-તળાવમાં ડૂબવાની ઘટનાઓ બનતી હોવા છતાં લોકો જોખમ ખેડે છે. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા અજાણ્યા પાણીમાં ન ઉતરવાની સૂચનાઓ આપવામાં આવી હતી, તેમ છતાં શિસ્ત ન જળવાતા આજે અનેક ઘરોમાં માતમ છવાયો છે.

error: Content is protected !!