તાજા સમાચાર
LATEST NEWS: સુરત ગ્રામ્ય પોલીસનો પ્રશંસનીય લોકાભિમુખ અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪૨.૮૪ લાખના ૨૨૨ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા | LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | Latest News Tapi : તાપીમાં 23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ: વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશ | Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Latest News Tapi: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરે ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ | Latest News Tapi: વ્યારામાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
LATEST NEWS: સુરત ગ્રામ્ય પોલીસનો પ્રશંસનીય લોકાભિમુખ અભિગમ: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત રૂ.૪૨.૮૪ લાખના ૨૨૨ ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા | LATEST NEWS: આણંદના પૂર્વ RAC કેતકીબેન વ્યાસ સામે રૂ.૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ | Latest News Tapi : તાપીમાં 23થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ: વરિષ્ઠ સનદી અધિકારીઓ બાળકોને કરાવશે શાળા પ્રવેશ | Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો | Latest News Tapi: તાપી જિલ્લામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30થી વધુ અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરે ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ | Latest News Tapi: વ્યારામાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી |

Latest News Tapi : ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

માર્ગ સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ડોલવણ ત્રણ રસ્તા ચેકપોસ્ટ ખાતે જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. બી. પરધન તથા ડોલવણ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મધુસૂદનભાઈ અને પોલીસ સ્ટાફ દ્વારા વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અધિકારીઓએ ચાર ચક્રી વાહન ચલાવતા સમયે સીટ બેલ્ટ ફરજિયાત પહેરવા, વાહનોમાંથી કાળા કાચ દૂર કરવા તેમજ દ્વિચક્રી વાહન ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ કરવાની સમજ આપી હતી. ઉપરાંત વાહનોના પાછળના ભાગે રેડિયમ અને રિફ્લેક્ટર લગાવવાના મહત્વ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.વાહનચાલકોને પી.યુ.સી., ઇન્સ્યોરન્સ, આર.સી. બુક સહિતના જરૂરી દસ્તાવેજો સાથે રાખવા તેમજ માર્ગ સુરક્ષા માટે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતે ટ્રાફિક જાગૃતિ અંગેના પેમ્ફલેટનું વિતરણ કરી વાહનચાલકોને માર્ગ સલામતી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.સ્થાનિક લોકો અને વાહનચાલકોએ આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમોને આવકાર આપ્યો હતો.