Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કપરાડાનાં નિલોસી ગામે એક સાથે ૩ મકાનોનાં તાળાં તૂટ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વલસાડ જિલ્લાનાં કપરાડાનાં નિલોસી ગામે ચાર દિવસ પહેલાં મોડી સાંજે ફળિયાને ૩ મકાનોને નિશાન બનાવ્યા હતા. ચોરટાઓએ રોકડા રૂપિયા ૬૦,૦૦૦ અને ચાંદીનાં ઘરેણાં મળી કુલ રૂપિયા ૬૮ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગેની ફરિયાદ કપરાડા પોલીસ મથકમાં નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, કપરાડાના નિલોસી ગામના સાવરમાળ ફળિયામાં રહેતા શૈલેષભાઈ ઝીણાભાઈ કુરકુટીયા નામના ખેડૂત તેમની પત્ની સહિતના પરિજનો સાથે રહે છે.

ગત તારીખ ૦૯/૦૫/૨૫ નારોજ શૈલેષભાઈનો પરિજનો તેમજ ફળિયામાં રહેતા રહીશો તેમના ઘરના મુખ્ય દરવાજાને તાળું મારી, ઘર બંધ કરીને બપોરે ઘોટન ગામે સગાઈ વિધિમાં ગયા હતા. તેઓ સાંજે ૪ વાગ્યે પરત આવ્યા હતા. ત્યારબાદ શૈલેષભાઇ લક્ષ્મણભાઈ ભાંવર અને પ્રકાશભાઈ ભાવલુભાઈ ભુભા ધરમપુરના કરજુન ગામે સગાઈ વિધિમાં હાજરી આપવા માટે ગયા હતા. રાત્રે શૈલેષભાઈ સહિત ફળિયામાં રહેતા રહીશો પરત આવ્યા હતા. શૈલેપભાઈએ ઘરમાં પ્રવેશ કરતા તેમના ઘરની બારી ખુલ્લી હતી. જેથી શૈલેષભાઈએ ઘરની તપાસ કરતા, ઘરમાં ત્રાટકેલા ચોરટાઓએ ઘરના કબાટને કોઈક સાધન વડે તોડીને કબાટનો સામાન વેરવિખેર કરી દીધો હતો.

ત્યારબાદ ચોરટાઓએ કબાટમાંથી રોકડા રૂપિયા ૪૦,૦૦૦ લઈને ફરાર થઈ ગયા હોવાનું જણાયું હતું. શૈલેષભાઈએ ફળિયામાં તપાસ કરતા ફળિયામાં રહેતા શૈલેષભાઈ ભાંવરના ઘરમાં પણ ચોરટાઓએ બારી મારફતે ઘરમાં પ્રવેશ કરી, ઘરનાં લોખંડનો કબાટ કુહાડી અને દાતરડાથી તોડીને કબાટમાંથી રોકડા રૂપિયા ૨૦ હજારની ચોરી કરી હતી. ત્યારબાદ ચોરટાઓએ પ્રકાશભાઈ ભુભાના ઘરમાં બારી મારફતે પ્રવેશ કરી કબાટમાંથી ચાંદીના સાંકડા કિંમત રૂપિયા ૭,૦૦૦ અને ચાંદીના વિટલા કિંમત રૂપિયા ૧,૦૦૦ મળી કુલ રૂપિયા ૬૮,૦૦૦/-ની ચોરી કરી હતી. બનાવ અંગે શૈલેષભાઈ કુરકુટીયાએ કપરાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!