તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

તાપી જીલ્લામાં વિરોધ પક્ષના નેતા ડૉ.તુષાર ચૌધરીએ પત્ની સાથે કર્યું મતદાન : સરકાર પર આકરા પ્રહારો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે આજે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ વ્યારાના વોર્ડ નમ્બર ૪ માં આવેલી દક્ષિણાપથ વિદ્યાલય ખાતે પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. એક જાગૃત નાગરિકની જેમ તેઓ પણ સામાન્ય મતદારોની કતારમાં ઉભા રહ્યા હતા અને લોકશાહીના પર્વમાં સહભાગી થયા હતા.

મતદાન બાદ માધ્યમો સાથેની વાતચીતમાં ડૉ. તુષાર ચૌધરીએ વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચૂંટણી પ્રક્રિયામાં વહીવટીતંત્રના દુરુપયોગ અંગે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ઉમેદવારોને ડરાવી-ધમકાવીને ફોર્મ ખેંચાવી લેવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે હરીફ ઉમેદવારોને ચૂંટણી અધિકારી પાસે લઈ જઈને બળજબરીથી ફોર્મ પરત ખેંચાવાયા હોવાની ઘટનાઓ લોકશાહી માટે ઘાતક છે.

ડૉ. ચૌધરીએ સવાલ ઉઠાવ્યો હતો કે, “આટલી પ્રચંડ બહુમતી હોવાનો દાવો કરતી સરકાર આખરે ચૂંટણીથી કેમ ડરી રહી છે? કેમ આટલી ઉતાવળમાં ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવા સરકાર મથી રહી છે?” તેમણે ઉમેર્યું કે સરકારના પાયા હચમચી ગયા છે અને જનતાનો રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અંગે આશાવાદ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે “મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત પ્રજા હવે પરિવર્તનના મૂડમાં છે. ૨૮ તારીખે જે પરિણામો આવશે તે આશ્ચર્યજનક હશે. કોંગ્રેસ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શ્રેષ્ઠ દેખાવ કરશે અને જનતાના આશીર્વાદથી વિજયી બનશે.”