Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તલાલા પંથકમાં ફરી ભૂકંપીય ગતિવિધિઓથી લોકોમાં ભયનો માહોલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગીરનાર સહિત તલાલા પંથકમાં ફરી ભૂકંપીય ગતિવિધિઓથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીમાં તારીખ 15ના રોજ 4 કલાક 13  મિનિટ 59 સેકન્ડે 21.118 અક્ષાંસ અને 79.481 રેખાંશ ઉપર જમીનમાં 10 કિલોમીટર ઉંડાઈએ 3.3 મેગ્નિડયુટનો ભૂકંપ નોંધાયો છે. આ ભૂકંપ આવતા લોકો ભરઉંઘમાંથી જાગી ગયા હતા તેમજ ભૂકંપનાં લીધે ભય અને ચિંતાનો માહૌલ છવાયો હતો. આ આંચકા આવ્યા બાદ વધુ 5 આંચકા આવ્યા હતા.

જેમાં 4.13 વાગ્યે 3.0 બાદ સવારે 5.15 વાગ્યે 1.9, સવારે 5.19 વાગ્યે 2.2 મેગ્નિટયુડ, ચોથા આંચકો 5.25 વાગ્યે  1.5નો આંચકો આવ્યા બાદ બપોરે 12 વાગ્યા પછી ફરી કંપનનો સિલસિલો જારી રહ્યો હતો. જેમાં બપોરે 12.43 વાગ્યે 1.7ની તીવ્રતાનો અને છઠ્ઠો આંચકો 12.48 વાગ્યે 1.2ની તીવ્રતાનો નોંધાયો હતો. આમ, તીવ્ર આંચકા પછી પાંચ નાના આંચકા નોંધાયા હતા. ઈન્ટેન્સિટી મેપ મૂજબ આંચકાનું કંપન ,મોજા છેક સોમનાથ, માંગરોળ, જુનાગઢ, જેતપુર, ધોરાજી, ખાંભા સુધી પહોંચ્યા હતા. પરંતુ, તેના કંપનનો વધુ અનુભવ ગીરના તાલાલા ઉપરાંત હિરણવેલ, હરીપુર, ચિત્રાવડ, ભોજદે, બોરવાવ, ધાવા, માધુપુર, આંકોલવાડી સહિત ગામોમાં થયો છે.