તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

સોનગઢમાં જાહેરનામાનો ભંગ કરનાર બે દુકાન માલિકો સામે પોલીસ કાર્યવાહી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોનગઢમાં ભાડુઆતની માહિતી પોલીસને ન આપી જાહેરનામાનો ભંગ કરનાર બે અલગ-અલગ દુકાન માલિકો સામે પોલીસે લાલ આંખ કરી છે. તાપી એસ.ઓ.જી. શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન આ બેદરકારી સામે આવતા બંને માલિકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર તાપી તા.23મી એપ્રિલ નારોજ એસ.ઓ.જી. શાખાની ટીમ જ્યારે સોનગઢ-ઉકાઈ રોડ પર આવેલ ‘સનસીટી શોપિંગ સેન્ટર’ માં ભાડુઆત તપાસણી માટે પહોંચી હતી, ત્યારે બે દુકાનોમાં નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. આ મામલે પ્રથમ કેસમાં દુકાન નંબર B-19 ના માલિક મુકેશભાઈ પીતામ્બરભાઇ પાટીલ (રહે.ઉકાઈ) એ પોતાની દુકાન ભાડે આપી હતી, પરંતુ ભાડુઆતનું કોઈ આઈ.ડી. પ્રૂફ લીધું નહોતું કે પોલીસમાં તેની જાણ કરી નહોતી. જયારે બીજો કેસમાં દુકાન નંબર A-8 ના માલિક શ્રીહિમ્મતભાઇ નારાયણભાઇ વિરવાલ (રહે.સોનગઢ) એ પણ પોતાની દુકાન ભાડે આપતી વખતે ભાડુઆતની વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી નહોતી. આ મામલે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ બંને આરોપીઓ સામે પોલીસમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.