તાજા સમાચાર
નિઝર ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં કર્મચારીઓને ‘સેવાસેતુ’ કાર્યક્રમ હેઠળ માર્ગદર્શિત કરાયાં | Road Accident : કાર અડફેટે આવતા બાઈક ચાલકનું ગાંભીર ઈજાને કારણે મોત નીપજ્યું | Police Investigation : યુવકે પથ્થરના બ્લોક વડે યુવતી પર હુમલો કર્યો, ગંભીર ઈજાને કારણે યુવતીનું ઘટના સ્થળ પર મોત | Crime : અંગત અદાવતમાં યુવકની ઘાતકી હત્યા, પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી | જીએસટી સુધારા પછી આર્થિક પ્રવૃત્તિમાં વધારો, જેના કારણે કંપનીઓને વધુ કાર્યકારી મૂડીની જરૂર પડી | અમદાવાદ પ્લેન ક્રેશ મામલે સુપ્રીમ કોર્ટે તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો, આ રીપોર્ટ માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ૩ અઠવાડિયાનો સમય |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
નિઝર ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં કર્મચારીઓને ‘સેવાસેતુ’ કાર્યક્રમ હેઠળ માર્ગદર્શિત કરાયાં | Road Accident : કાર અડફેટે આવતા બાઈક ચાલકનું ગાંભીર ઈજાને કારણે મોત નીપજ્યું | Police Investigation : યુવકે પથ્થરના બ્લોક વડે યુવતી પર હુમલો કર્યો, ગંભીર ઈજાને કારણે યુવતીનું ઘટના સ્થળ પર મોત | Crime : અંગત અદાવતમાં યુવકની ઘાતકી હત્યા, પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી | જીએસટી સુધારા પછી આર્થિક પ્રવૃત્તિમાં વધારો, જેના કારણે કંપનીઓને વધુ કાર્યકારી મૂડીની જરૂર પડી | અમદાવાદ પ્લેન ક્રેશ મામલે સુપ્રીમ કોર્ટે તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો, આ રીપોર્ટ માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ૩ અઠવાડિયાનો સમય |

Police Investigation : યુવકે પથ્થરના બ્લોક વડે યુવતી પર હુમલો કર્યો, ગંભીર ઈજાને કારણે યુવતીનું ઘટના સ્થળ પર મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં કાંકરિયાના ગેટ નંબર-7ની નજીકમાં એક યુવતીની પથ્થરોના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યાનુસાર આ હત્યા યુવતીના મંગેતર દ્વારા જ કરાઈ હોવાનો ખુલાસો થયો છે.  બનાવની વિગત એવે છે કે, આ હત્યાનો બનાવ મોડી રાતે બન્યો હતો જ્યાં કાંકરિયાના ગેટ નંબર 7 પાસે ફલકનાઝ પઠાણ નામની યુવતીની તેના જ મંગેતર મોહમ્મદ આવેશ પઠાણે હત્યા કરી નાખી હતી.

પ્રાથમિક તપાસ મુજબ, બંને વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હતી અને ઉશ્કેરાયેલા આવેશે રસ્તા પર પડેલા એક પથ્થરના બ્લોક વડે વડે ફલકનાઝ પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ શંકાને આધારે આ હત્યા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. જોકે, સાચું કારણ આરોપીની પૂછપરછ અને તપાસ બાદ જ સામે આવશે. હાલમાં મણિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!