તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Rajasthan: ભારે વરસાદને કારણે કિલ્લાની 200 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજસ્થાનની રાજધાની જયપુરમાં ગઈકાલથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે કે એક યૂનેસ્કો ધરોહર ‘આમેર કિલ્લા’ને નુકસાન પહોંચાડ્યું છે. ભારે વરસાદને કારણે કિલ્લાની 200 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. આ દિવાલ ધરાશાયી થતાં મોટા ધડાકા જેવો અવાજ સાંભળીને ઘટનાસ્થળ પર હાજર લોકો ચોંકી ઉઠ્યા છે.

જો કે જ્યારે આ દુર્ઘટના બની તે સમયે કોઈ વ્યક્તિ દિવાલની પાસે હાજર નહતો, જેથી મોટી દુર્ઘટના ટળી છે. જો કે દિવાલની પાસે મુકેલા વાહન તેની ચપેટમાં આવ્યા છે અને કેટલાક બાઈક કાટમાળ નીચે દબાવવાના કારણે ક્ષતિગ્રસ્ત થયા છે. વરસાદના કારણે આમેર કિલ્લામાં મોટી સંખ્યામાં દેશી-વિદેશી પર્યટક પહોંચે છે. અચાનક દિવાલ પડવાની અવાજથી પર્યટક ગભરાઈ ગયા અને કેટલાક સમય માટે અફરા-તફરીનો માહોલ બની ગયો છે. જો કે રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી.

ઘટના બાદ આમેર મહેલના અધિક્ષકે જણાવ્યું કે આમેરમાં વરસેલા ભારે વરસાદના કારણે હાથી સ્ટેન્ડથી આમેર મહલ તરફ તરફ આવનારા રસ્તામાં સ્થિત જ્વાલા માતા મંદિરની સામે રામબાગની દિવાલ ધરાશાયી થવાના કારણે રસ્તો અને બાકી રહેલી દિવાલ ખુબ જ નબળી પડી ગઈ છે. જેનાથી વરસાદના કારણે હાથી સવારી શક્ય બનતી નથી. હાલમાં આગામી આદેશ સુધી હાથી સવારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.