તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

બ્રાન્ડેડના નામે નકલી ઘડિયાળનું વેચાણ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ફાઈલ ફોટો

મળતી વિગતો પ્રમાણે શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી.સુરતના ભાગળ ખાતે ટાવર રોડ, મહિધરપુરા પોસ્ટ ઓફિસ પાસે આવેલા કોમર્સ હાઉસની બિલ્ડિંગમાં બ્રાન્ડેડના નામે નકલી ઘડિયાળો વેચાઇ રહી છે. જેથી પોલીસે અહીં દરોડા પાડયા હતા. ટાઇટન કંપનીના લીગલ એડવાઈઝરને સાથે રાખી પોલીસે પાડેલી રેઇડમાં દુકાનમાં વેચાણ માટે ડિસ્પ્લેમાં મુકાયેલી ટાઇટન કંપનીની ફાસ્ટટ્રેક બ્રાન્ડની ૮૭૫ ઘડિયાળો મળી આવી હતી.

પોલીસે રૂપિયા ૩.૯૩ લાખની ઘડિયાળો કબજે લીધી હતી અને દુકાનદાર જતીન હરીશ ચોપરા (ઉ.વ. ૨૨, રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાલનપુર પાટિયા)ને ઝડપી પાડયો હતો.આ અંગે મહિધરપુરા પોલીસ મથકમાં કોપીરાઈટ એક્ટ અન્વયે વિધિવત્ ગુનો પણ નોંધાવાયો હતો. જતીન ચોપરા મુંબઈથી ઘડિયાળ લાવી અહીં વેચાણ કરતો હતો. સુરતમાં અન્ય જગ્યાઓ પર પણ આવી જ રીતે બ્રાન્ડેડ કંપનીના નામે ઘડિયાળોનું વેચાણ થતુ હશે તેવી પોલીસને આશંકા છે અને લોકો સાથે છેતરપિંડી પણ થતી હશે ત્યારે આ મામલે પોલીસ હજી પણ અન્ય વેપારીઓની દુકાનમાં તપાસ કરીને ગુનો નોંધી શકે છે.