Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

NRLM અંતર્ગત તિલકવાડાની શિવમ સખી મંડળ દ્વારા સેવાઓ ઉપલબ્ધ કરાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તરવાહિની માં નર્મદાની પંચકોશી પરિક્રમા શાંતિપુર્ણ ભક્તિભાવ સાથે પરિક્રમા ચાલી રહી છે. પરિક્રમાવાસીઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમાવાસીઓને ધ્યાનમાં રાખી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પરિક્રમામાં જિલ્લા વહીવટી દ્વારા ચારે ઘાટ પર વિવિધ પ્રકારની સુવિધાઓ જેવી કે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) અંતર્ગત તિલકવાડાની શિવમ સખી મંડળ દ્વારા પાપડીનો લોટ, બાફેલી મકાઇ, ફળફળાદીઓ તથા ઠંડા પીણા ઉપલબ્ધ કરાયા છે.

તા. ૨૭ એપ્રિલ ૨૦૨૫ સુધી ચાલનારી ઉત્તરવાહિની માં નર્મદા પરિક્રમાના ૧૨ દિવસે પણ સતત યાત્રાળુઓ મોટી સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત કાળજી રાખવામાં આવી રહી છે. ત્યારે રામપુરા ઘાટ, શહેરાવ ઘાટ અને ગુવાર રૂટના રોડ-રસ્તાઓ તેમજ ચારે ઘાટો પર ઉભા કરાયેલ સ્ટોલ સહિત આજુબાજુની જગ્યાની સમયાંતરે સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. નર્મદાના ચારેય ઘાટ અને પરિક્રમા રૂટ પર ઉભી કરાયેલી સુવિધાઓનો લાભ લઈ પરિક્રમાવાસીઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!