તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વડોદરા : સાવલી તાલુકાના તુલસીપુરા પ્રાથમિક શાળાનું નામ બદલવાની માંગ નહીં સંતોષાતા ઉપવાસ આંદોલન શરૂ કરવાની લેખિત ચીમકી આપી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના તુલસીપુરા ગામે આવેલી પ્રાથમિક શાળાનું મૂળ નામ બદલવા બાબતે જૂનું નામ કાયમ કરવા અંગે એક મહિના અગાઉ જિલ્લા વિકાસ અધિકારીને કરેલી રજૂઆત છતાં એક મહિના બાદ પણ કોઈ નિવેડો નહીં આવતા આ અંગે શરૂ થયેલા આંદોલન સ્વરૂપે ગામના અગ્રણીઓએ તુલસીપુરાના સરદાર ચોકમાં આજથી ઉપવાસ આંદોલન શરૂ કરવા અંગેની જાણ જિલ્લા વિકાસ અધિકારી સહિત તમામ સરકારી કચેરીઓમાં કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાવલી તાલુકાની તુલસીપુરાની પ્રાથમિક શાળાનું નામ રણોલા શાળા હતું.

પરંતુ કોઈ કારણોસર આ નામ બદલીને તુલસીપુરા પ્રાથમિક શાળા કરી દેવામાં આવ્યું છે. જેથી અગ્રણી ગ્રામજનોએ આ બાબતે શાળાનું જૂનું નામ પુનઃ કરવા બાબતે જિલ્લા વિકાસ અધિકારીને ગઈ તારીખ 29-7-24મીએ લેખિત જાણ કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી આ બાબતે કોઈ ફળદાયી પરિણામ આવ્યું નથી. જેથી આજે ગામના અગ્રણીઓ મહેશભાઈ તળાવીયા સહિત અન્યએ એકત્રિત થઈને જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા કલેકટર તથા અન્ય અગ્રણી કચેરીઓએ લેખિતમાં આજથી ગામના સરદાર ચોકમાં ઉપવાસ આંદોલન શરૂ કરવાની લેખિત ચીમકી આપી છે.