Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સુપ્રીમ કોર્ટનો ચુકાદો : નીટ યુજી પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં કારણ કે, આ પરીક્ષામાં થયેલ ગેરરીતિની ખૂબ જ મોટા પાયે અસર થઈ હોવાના પૂરતા પુરાવા નથી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઘણાં સમયથી ચાલી રહેલા નીટ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. ચીફ જસ્ટિસનાં વડપણ હેઠળની બેન્ચે ચુકાદો આપતા કહ્યું છે કે, નીટ યુજી પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં કારણ કે, આ પરીક્ષામાં થયેલી ગેરરીતિની ખૂબ જ મોટા પાયે અસર થઈ હોવાના પૂરતા પુરાવા નથી. આ સુનાવણીમાં ચીફ જસ્ટિસની બેન્ચે કહ્યું કે, કોર્ટ સમક્ષ આ કેસનો મુખ્ય મુદ્દો એ હતો કે પ્રશ્નપત્ર લીક થયું હતું અને પરીક્ષાના આયોજનમાં પ્રણાલીગત ખામીઓ હોવાના આધારે ફરીથી પરીક્ષા લેવા માટેનો નિર્દેશ આપવામાં આવે. નીટનું આયોજન 14 વિદેશી શહેરો ઉપરાંત દેશના 571 શહેરોનાં 4750 કેન્દ્રો પર કરવામાં આવ્યું હતું.

24 લાખ વિદ્યાર્થીઓ 1,08,000 બેઠકો માટે આ પરીક્ષાની સ્પર્ધામાં હતા. આ દરમિયાન કોર્ટને વાકેફ કરાઈ હતી કે 50 ટકા એ કટ ઓફની ટકાવારી દર્શાવે છે. પરીક્ષાનું પ્રશ્નપત્ર કુલ 720 ગુણનું હોય છે, જેમાં 180 પ્રશ્નો હોય છે અને ખોટા જવાબ માટે એક નકારાત્મક ગુણ પણ હોય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે આ વર્ષના પરિણામોની તુલના છેલ્લા 3 વર્ષના આંકડા સાથે પણ કરી છે, જેમાં અમને કોઈ વ્યાપક ગરબડ લાગી નથી રહી. અમે ઇચ્છીએ છીએ કે, ખોટી પદ્ધતિઓ અપનાવનારા કોઈ પણ વિદ્યાર્થી લાભ ન લઈ શકે. અને ભવિષ્યમાં પણ પ્રવેશ મેળવી શકે નહી. અમે માનીએ છીએ કે ફરીથી પરીક્ષા લેવાથી 20 લાખથી વધુ વિદ્યાર્થીઓને અસર થશે. શૈક્ષણિક સત્ર ખોરવાઈ જશે, અભ્યાસમાં પણ વિલંબ થશે. તેથી, અમે ફરીથી પરીક્ષાને વાજબી માનતા નથી.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!