Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અમદાવાદના કેડિલાથી ઇસનપુરને જોડતો નવનિર્મિત બ્રિજ ખુલ્લો મૂકાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હવે ટ્રાફિક ની સમસ્યા માં મોટો ઘટાડો થશે, વિસ્તારના લોકોને ટ્રાફિક અને હાલાકીનો સામનો નહી કરવો પડે કારણ કે, કેડિલાથીઇસનપુરને જોડતો નવનિર્મિત ઘોડાસર ચાર રસ્તા પરના ઓવર બ્રિજ ને વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અંદાજે રૂપિયા 62 કરોડના ખર્ચે ઘોડાસર સ્પ્લિટ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જે જાહેર જનતાના ઉપયોગ માટે ખુલ્લો મુકાતા વાહન ચાલકોને ઈંધણ અને સમય બંન્નેની બચત થશે. ઘોડાસર ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનવાના કારણે આશરે 2.50 લાખ જેટલા વાહન ચાલકોને ફાયદો થશે અને ટ્રાફિક ની સમસ્યામાંથી મોટી રાહત મળશે.

ઘોડાસર, નારોલ અને નરોડાના લોકો માટે રાહતની વાત છે કે, નાગરિકો માટે નવનિર્મિત ઘોડાસર સ્પ્લિટ ઓવર બ્રિજ ખુલ્લો મુકાયો છે. કેડિલાથી ઇસનપુરને જોડતો નવનિર્મિત ઘોડાસર સ્પ્લિટ ઓવરબ્રિજ ખુલ્લો મૂકાતા પ્રજાએ ટ્રાફિકની સમસ્યાથી હાશકારો અનુભવ્યો છે. અત્રેજણાવીએ કે, લોડિંગટેસ્ટ બાદ સત્તાવાર રીતે ઓવરબ્રિજ પ્રજા માટે ખુલ્લો મૂકાયો છે. આચાર સંહિતાના કારણે ઉદ્ઘાટન ન કરી પ્રજા માટે ઓવર બ્રિજ ખુલ્લો મુકાયો છે.