Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કોંગ્રેસ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના આરક્ષણને ખતમ કરવા અને મુસ્લિમોને આપવા માટે કાયદો લાવવા માગે છે : પી.એમ.મોદી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

લોકસભા ચુંટણીના પ્રચાર અર્થે તેલંગાણાના વારંગલમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના આરક્ષણને ખતમ કરવા અને મુસ્લિમોને આપવા માટે કાયદો લાવવા માગે છે. હું સમજું છું કે કોંગ્રેસે દ્રૌપદી મુર્મુને તેમની ચામડીના રંગને કારણે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે સામ પિત્રોડાના નિવેદન પર પણ પ્રહારો કર્યા હતા.

પી.એમ.મોદીએ વધુમાં કહ્યું હતું કે, શહજાદાના અંકલે કહ્યું કે કાળા દેખાતા લોકો આફ્રિકન છે. તેમણે ભારતીયોનું અપમાન કર્યું છે. આનાથી મને ખૂબ ગુસ્સો આવે છે. કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતાપીએમમોદીએ કહ્યું કે જ્યાં પણ કોંગ્રેસ અથવા તેના સહયોગી સત્તામાં આવ્યા છે, તે રાજ્યો તેમના માટે ‘એટીએમ’ બની ગયા છે. આ વખતે ‘ઇન્ડિયા’ ગઠબંધન ‘પાંચ વર્ષ-પાંચ વડાપ્રધાન’નીફોર્મ્યુલા લઈને આવ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા બાદ કોંગ્રેસના નેતાઓ દૂરબીન વડે બેઠકો શોધી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએવધુમાં જણાવતા કહ્યું, ‘આજે તેમણે મારી સાથે ખૂબ દુર્વ્યવહાર કર્યો. ત્યારે જ મને સમજાયું કે ત્વચાનો રંગ જોઈને તેઓ માની ગયા કે મુર્મુજી આફ્રિકન છે. તેથી તે સંમત થયા કે તેમને હરાવવા જોઈએ. આજે પહેલીવાર મને ખબર પડી કે તેમનું મગજ ક્યાં કામ કરે છે? અરે, ચામડીનો રંગ ભલે ગમે તેવો હોય, આપણે શ્રી કૃષ્ણની પૂજા કરનારા લોકો છીએ. રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉલ્લેખ કરીને પીએમમોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં બોલ્યા હતા કે, આટલું જ નહીં, તેમણે સામ પિત્રોડાના નિવેદનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ચૂંટણી સાથે જોડી દીધું.

પી.એમ.મોદીએ કહ્યું, ‘હું ઘણું વિચારતો હતો, દ્રૌપદી જી, જેમની પાસે ઘણી પ્રતિષ્ઠા છે, તે આદિવાસી સમાજની પ્રતિષ્ઠિત પુત્રી છે. જ્યારે અમે તેમને પ્રમુખ બનાવી રહ્યા છીએ તો કોંગ્રેસ તેમને હરાવવા માટે આટલી મહેનત કેમ કરી રહી છે? ત્યારે હું સમજી શક્યો ન હતો. મને લાગતું હતું કે શહજાદા પાસે આવું મન છે. પરંતુ આજે મને ખબર પડી કે આ લોકો આદિવાસી પુત્રી મુર્મુનેહરાવવા મેદાનમાં કેમ ઉતર્યા હતા. આજે એ વાત સામે આવી છે કે અમેરિકામાં રહેતા શહજાદાનાકાકાએ એક નવું રહસ્ય ખોલ્યું છે.