Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજ્ય સભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથેના ગેરવર્તણૂક મામલો : આમ આદમી પાર્ટીએ કહ્યું કે, સીએમ કેજરીવાલે આ બાબતની નોંધ લીધી છે અને યોગ્ય પગલાં લેવામાં આવશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાજ્ય સભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથેના ગેરવર્તણૂકને સ્વીકારતા, આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બાબતની નોંધ લીધી છે અને યોગ્ય પગલાં લેવામાં આવશે. આમ આદમી પાર્ટીના રાજ્ય સભાસાંસદ સંજય સિંહે એક પ્રેસ વાર્તામાં કહ્યું, ‘ગઈકાલે એક નિંદનીય ઘટના બની. સ્વાતિ માલીવાલ અરવિંદ કેજરીવાલને તેમના ઘરે મળવા ગઈ હતી. વિભવ કુમારે કથિત રીતે તેની સાથે ગેરવર્તણૂક કરી જ્યારે તે ડ્રોઈંગ રૂમમાં તેની રાહ જોઈ રહી હતી. મુખ્યમંત્રીએ આ મામલાની નોંધ લીધી છે અને યોગ્ય કાર્યવાહી કરશે.

રાજ્ય સભા સાંસદ સ્વાતિ માલીવાલના ગેરવર્તણૂકને એમસીડી હાઉસમાં મુદ્દો બનાવીને, ભાજપે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ 74 હેઠળ નિંદા પ્રસ્તાવ લાવ્યો. દિલ્હી બીજેપીના એમસીડીમાં વિપક્ષના નેતા રાજા ઈકબાલસિંહે આરોપ લગાવ્યો કે સીએમ આવાસમાં મહિલાઓ અસુરક્ષિત છે. નિંદા પ્રસ્તાવ અંગે રાજા ઈકબાલે કહ્યું કે, દિલ્હીમાં રાજ્ય સભાના સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવે ગેરવર્તન કર્યું હતું. જો મુખ્યમંત્રી આવાસમાં આમ આદમી પાર્ટીના સભ્યો અને રાજ્યસભાના સાંસદો સુરક્ષિત નથી તો સમગ્ર દિલ્હીની મહિલાઓની સુરક્ષાની શું ગેરંટી હશે, તે વિચારવા જેવું છે.