તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વાપી હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાપીમાં નેશનલ હાઇવે ઉપર હોટલ ખોડિયાર કાઠીયાવાડી સામે એક ટેન્કરનો ટાયર ફાટતાં તેના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર ડિવાઇડર ખુદાવી સામેની લેન ઉપર ઘસી જઈ કાર તથા બાઇક સવારની અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં કારમાં સવાર મહાવીરપ્રસાદનું મોતનીપજ્યું હતું. જ્યારે તેમના પુત્ર રામસ્વરૂપને ગંભીર ઈજા પહોંચતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે બાઈક સવાર અનિલ કુટ્ટીને પણ ગંભીર ઈજા પહોંચી હતી અને બાદમાં મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, વાપી નેશનલ હાઇવે નંબર 48 ઉપર ગતરોજ બનેલી આ ઘટનામાં એક ટેન્કર નંબર GJ/06/BT/9171 મુંબઈ તરફ જઈ રહ્યું હતું તે સમયે વાપીમાં હોટલ ખોડિયાર કાઠીયાવાડીની સામેથી પસાર થતું હતું ત્યારે તેના આગળનું ટાયર ફાટતાં તેના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટેન્કર રોડ ડિવાઈડર કુદાવી સુરત તરફ જતી લેન ઉપર દોડાવી દેતા સામેથી આવતી વેગેનાર કાર નંબર DN/09/F/2341 તથા બાઈક નંબર GJ/15/BC/7825ને અડફેટે લેતા કાર તથા બાઇકનો કચ્ચાધાણ નીકળી ગયો હતો.

કારમાં સવાર મહાવીરપ્રસાદ તથા તેમના પુત્ર રામસ્વરૂપને ગંભીર ઈજા પહોંચી તથા બાઇક સવાર અનીલને પણ ગંભીર ઈજા પહોંચતી હતી જેથી ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં મહાવીરપ્રસાદનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ વાપી જીઆઇડીસી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે ઘસી આવી હતી.