સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યા કે, આગામી 15 દિવસમાં જ રાજ્યમાં વર્ગ-3નાં કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. અહેવાલ અનુસાર, રાજ્યમાં આગામી 15 દિવસમાં જ વર્ગ-3ની 5 હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પડાશે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે વર્ગ-3ની ભરતીને લઈને કેટલાક ફેરફાર કર્યા છે. હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.




