તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ગણદેવીમાં રૂપિયા આપવાનો ઈન્કાર કરતા યુવક પર જીવલેણ હુમલો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નવસારીના ગણદેવીના કાલુવાડમાં રહેતો અને હાટવાડા કરી જીવન નિર્વાહ કરતો ઈરફાનભાઈ સમદભાઈ શેખ(ઉ.વ.૪૫) શનિવારે રાત્રે ઘરે થી જમીને તોરણગામ કોઠી ફળિયા સ્થિત ગરનાળાની પાળ ઉપર બેઠો હતો. તે સમયે આરોપી કેનીલ દિનેશભાઈ નાયકા (ઉ.વ.૨૪., રહે.કોઠી ફળીયા, તોરણગામ, ગણદેવી) નાએ ઈરફાન પાસે આવી ૧૦ રૂપિયા આપ એવી માંગણી કરી હતી. જે આપવાનો ઈરફાનએ ઈનકાર કરતા ઉશ્કેરાયેલા કેનીલે હાથમાં પાછળ છુપાવેલી હથોડી કાઢી ઈરફાનના માથા પાછળ ફટકારી દીધી હતી.

જેને પગલે ઈરફાન નીચે પટકાયો હતો. દરમિયાન હુમલાખોર ભાગી નીકળ્યો હતો ત્યારબાદ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતાં અને ઇજાગ્રસ્ત ઈરફાનને ગણદેવી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતાં અને તેમના પરિવારને જાણ કરતા પરિવાર દોડી આવ્યો હતો. ઈરફારને ગંભીર ઇજા હોવાથી ડોક્ટરે સુરત સિવિલ હોસ્પિટલમાં મોકલાવ્યા હતાં. સમગ્ર મામલે ઈજાગ્રસ્ત ઈરફાનની ભત્રીજીએ ગણદેવી પોલીસમાં હુમલો કરનાર સામે ફરિયાદ નોંધાવી હતી. ગણદેવી પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.