ઉમરગામનાં માહ્યાવંશી ફળિયામાં રહેતા જીગ્નેશભાઈ ગણેશભાઈ માહ્યાવંશી મુંબઈમાં નોકરી કરતી તેની માતા સુમિત્રાબેન સાથે શુક્રવારે રાત્રે ફોન પર વાત કરતા હતા. તે દરમિયાન જિગ્નેશનો અવાજ તે ગભરાઈને બોલી રહ્યો હોય તેવો જણાયો હતો. જે બાદ ફોન પણ બંધ થઈ ગયો હતો. 
જેથી સુમિત્રાબેને પોતાના ભાઈ રાકેશને ફોન કરીને સમગ્ર વાત જણાવી ઘરે જઈને જોવા કહ્યું હતું. ત્યારબાદ ભાઈની દીકરી નંદિનીએ જિગ્નેશના ઘરે જઈ ડોરબેલ વગાડયો હતો. પરંતુ જિગ્નેશે દરવાજો ખોલ્યો ન હતો. આથી રાકેશભાઈએ બારીમાંથી જોતા જિગ્નેશ ઘરના બેડરૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેખાયો હતો. ઘટનાને પગલે આજુબાજુના લોકોએ ભેગા થઈ દોરી કાપી જિગ્નેશને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જતા હાજર પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો.



