Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ચીનની એક રેસ્ટોરાંમાં ભીષણ આગ લાગતાં ૨૨ લોકોનાં મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ચીનનાં લિયા ઓનિંગ પ્રાંતનાં મુખ્ય શહેર લિયા-ઓનિંગની એક રેસ્ટોરાંમાં મંગળવારે બપોરે ૧૨.૨૫ વાગે અચાનક ભીષણ આગ ફેલાઈ જ્યાં ઓછામાં ઓછા ૨૨ લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે અનેકને દાહ થયા છે અને આગ લાગતા થયેલી અડફા-તડફી જતાં નાસભાગને લીધે કેટલાંકને ઈજાઓ પણ થઈ છે. ચીનના સરકારી પ્રસારકના સીસીટીવી દ્વારા આ માહિતી પ્રાપ્ત થઈ છે.

તેમાં જણાવ્યું છે કે, બપોરે ૧૨.૨૫ વાગે. લોકો લંચ લેવા રેસ્ટોરાંમાં ગયા હતા ત્યારે આ આગ ફાટી નીકળી હતી અને જોત-જોતામાં વ્યાપક બની ગઈ હતી. આગનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. રીપોર્ટ વધુમાં જણાવે છે કે, લિયા-ઓનિંગ એક ઐતિહાસિક શહેર છે તે શેન-યાંગ શહેરથી એક કલાકના અંતરે જ આવેલું છે. તે સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પણ ખ્યાતનામ છે. તેમજ ત્યાં ઘણા ઉદ્યોગો પણ છે.

આ ઘટના પાછળ આગ સામેની સલામતી વિષેના નિયમોનું યોગ્ય પાલન થતું ન હોવાની પણ આશંકા રહેલી છે તેમ કહેતાં અધિકારીઓ જણાવે છે કે, જલ્દીથી સળગી ઉઠે તેવા પદાર્થો કે ગેસનાં સાધનો વિષે કાળજી ન રાખવાને લીધે તેમજ ઈલેકિટ્રક વાયરિંગ બિસ્માર થઈ જતાં થતી શોર્ટ-સર્કિટને લીધે આવી ઘટનાઓ બને છે. જનતાને તથા વેપાર-ઉદ્યોગોને તે બધા વિષે તાકીદ કરાઈ હોવા છતાં માત્ર ને માત્ર બેદરકારીને લીધે આવી ઘટનાઓ પહેલા પણ બની હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!