તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

શિલ્પા શિરોડકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

૨૦૨૦માં દુનિયાભરમાં હાહાકાર મચાવનારી મહામારી કોરોનાના કેસ મુંબઇમાં વધી રહ્યા હોવાના સમાચારો વચ્ચે બિગ બોસ ફેમ અભિનેત્રી શિલ્પા શિરોડકરે સોશ્યલ મિડિયા પર પોતાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર ચાહકોને જણાવતાં લોકોમાં ચિંતા વ્યાપી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં કેઈએમ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે અને અત્યાર સુધીમાં કો મોર્બિડિટીના કારણે બેનાં મોત પણ થયાં છે. શિલ્પાએ તેની પોસ્ટમાં તેના ચાહકોને જણાવ્યું છે કે, નમસ્તે દોસ્તો, મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તમે લોકો સુરક્ષિત રહેશો અને માસ્ક પહેરશો. શિલ્પાની પોસ્ટ અંગે સોનાક્ષી સિંહાએ ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી.

તાજેતરમાં તેલુગુ ફિલ્મ ‘જટાધારા’ માં બંનેએ સાતે કામ કર્યું હોવાથી સોનાક્ષી વધારે ચિંતિત બની હોવાનું મનાય છે.  તાજેતરમાં સિંગાપોરથી માંડી થાઇલેન્ડ સુધી કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થતાં લોકોમાં ફરી એકવાર ભય વ્યાપ્યો છે. ચીનમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા હોવાના અહેવાલો છે. દરમિયાન,  મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત કે ઈએમ હોસ્પિટલમાં કોવિડ-સંક્રમિત  બે દર્દીઓનાં કોમોર્બિડિટીના કારણે મોત થયાં બાદ તકેદારીનાં પગલાં લેવાઈ રહ્યાં છે. આરોગ્ય ખાતાંના સૂત્રોના જણાવ્યા અનુસાર  જાન્યુઆરી ૨૦૨૫થી એપ્રિલ ૨૦૨૫ સુધી કોવિડ દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી હતી. જોકે, મે મહિનાથી, કેટલાક દર્દીઓ જોવા મળ્યા છે. બીએમસીની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે અલાયદા બેડ રાખવામાં આવ્યા છે. કોવિડ-૧૯ હવે એક સ્થાનિક અને ચાલુ સ્વાસ્થ્ય સમસ્યા માનવામાં આવે છે. આ રોગનો વાયરસ સમુદાય સ્તરે સ્થિર થયો હોવાથી, કોવિડ રોગના બહુ ઓછા કેસ છૂટાછવાયા રીતે જોવા મળે છે.