ખેડા જિલ્લાનાં ડાકોર રેલવે સ્ટેશન પાસે પેસેન્જર ટ્રેનની અડફેટે જાખેડના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મળતી માહિતી મુજબ, જાખેડ ગામનાં કાંતિભાઈ પરમાર સવારે ડાકોર બાજુ આવી રહ્યા હતા.
ત્યારે ગોધરા તરફથી આવતી પેસેન્જર ટ્રેનની અડફેટે આવી જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતદેહને ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડાકોરથી ગોધરા જતી ૯૦ કિ.મી.ની રેલવે લાઈનમાં હાલ ડબલટ્રેકનું કામ ચાલી રહ્યું છે. ત્યારે અગાઉ ઠાસરાના મહિલા ડોક્ટરનું પણ આજ રીતે ટ્રેનની અડફેટે મોત થયું હતું.
