Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

હાઇવે ઉપર ગંભીર અકસ્માત : બે’નાં ઘટના સ્થળે જ મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉચ્છલનાં નારણપુર ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલથી નિઝર જતા સ્ટેટ હાઇવે ઉપર એક ટ્રાવેલ બસનાં ચાલકે પગપાળા રસ્તો ક્રોસ કરી રહેલ બે શખ્સને અડફેટે લેતાં ગંભીર ઈજાને કારણે બંનેનાં સાથળ ઉપર મોત નિપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ઉચ્છલનાં નારણપુર ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલથી નિઝર જતા સ્ટેટ હાઇવે ઉપર વડપાડા નેશુ ફાટા પાસે મંગળવાર નારોજ બપોરે 12:50 વાગ્યાના સુમારે શ્રી હરી ટ્રાવેલ્સની બસ નંબર GJ/26/T/5143ના ચાલકે પગપાળા રસ્તો ક્રોસ કરી રહેલા જાલસીંગભાઇ મધુભાઇ વસાવા (ઉ.વ.33, રહે.જામલી ગામ, નવી જામલી ફળિયું, તા.ઉચ્છલ) અને પુનીલાભાઇ ખાત્રુભાઇ કાથુડ (ઉ.વ.45, રહે.જુના વડગામ, તા.ઉચ્છલ) નાંઓને અડફેટમાં લેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બંનેનું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જયારે બસ સ્થળ ઉપર મુકી બસ ચાલક ભાગી છુટ્યો હતો.

અકસ્માત અંગે ફુલસીંગ વસાવા (રહે.જામલીગામ, નવી જામલી ફળિયુ, તા.ઉચ્છલ)ની ફરિયાદનાં આધારે અકસ્માત કરી ભાગી છુટેલા બસનો અજાણ્યા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.