આહવામાં આવેલ શહીદ સ્મારકની જાળવણી ન થતાં અત્યંત બિસ્માર હાલત જોવા મળી રહ્યો છે,આ સ્મારકની દરકાર ન થતાં,લોકોના સ્મરણોમાંથી ભૂંસાતો જાય છે.જાળવણીના અભાવે આ શહીદ સ્મારકની હાલત દયનીય બની છે, શહીદ સ્મારકની પાછળ બનાવેલ દીવાલ તૂટી ગઈ, સ્મારકની આસપાસ ગંદકીનો થર જામ્યો પડ્યો છે. ડાંગના આહવામાં મેરી માટી-મેરા દેશ અભિયાનની જાગૃતિ માટે યોજાતા કાર્યક્રમમાં અધિકારીઓ-પોલીસ જવાનો તિરંગા સાથે પરેડ યાત્રા યોજે છે, શહીદ વીરોને ગાર્ડ ઓફ ઓનર પણ આપે છે, તે એક સારી બાબત છે,જોકે વાસ્તવિકતા કંઇક જુદી જ નજરે પડી રહી છે. આહવામાં જાળવણીના અભાવે આ શહીદ સ્મારકની હાલત અત્યંત દયનીય બની છે. જેને લઇ અહીંથી પસાર થતા નેતાઓ અને અધિકારીઓની કામગીરી અને નિયત પર અનેક સવાલો ઉભા થયા છે.




