તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

કારે ટક્કર મારતા ચાંપાવાડી ગામનાં બાઈક ચાલક યુવકનું મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારાનાં ઉંચામાળા ગામની સીમમાંથી પસાર થતો વ્યારા-માંડવી રોડ પરનાં નેશનલ હાઈવે પર કાર અડફેટે આવતાં ચાંપાવાડી ગામનાં યુવકનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

 

મળતી માહિતી મુજબવ્યારાનાં ચાંપાવાડી ગામનાં પંઢાર ફળિયામાં રહેતા મનિષભાઈ રાજેશભાઈ ગામીત (ઉ.વ.24)નાંઓ રવિવારનાં રોજ મોડી સાંજે પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/J/0468ને લઈ પોતાના ઘરેથી ટાયરની ટ્યુબ લઈ ઉંચામાળા તરફ જતો હતો. તે સમયે ઉંચામાળા ગામની સીમમાંથી પસાર થતો વ્યારા-માંડવી રોડ નેશનલ હાઈવે નંબર-56 ઉપર મુસ્તફા નજીરઅલી સૈફી પોતાના કબ્જાની કાર નંબર GJ/26/A/3786ને અણુમાલા ટાઉનશીપ તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મનિષભાઈની બાઈકને આગળનાં ભાગે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક મનિષભાઈ રોડ ઉપર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા તથા ડાબા હાથનાં ભાગે ફેક્ચર અને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે મરણ પામનાર મનિષભાઈનાં પિતા રાકેશભાઈ નાંઓએ વાહન ચાલક સામે કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.