ઉત્તરપ્રદેશનાં હાથરસ નાસભાગ મામલે SITએ ગત શુક્રવારે તપાસ રિપોર્ટ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપ્યો હતો. તેમાં 100 લોકોના નિવેદન નોંધ્યા છે. હવે આ રિપોર્ટના આધાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ રિપોર્ટના આધાર પર SDM અને સીઓ સામે કાર્યવાહી થઈ છે. સરકારે બંનેને સસ્પેન્ડ કરી દીધા છે. આ મામલે SDM અને સીઓ સહીત 6 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી SITના રિપોર્ટ બાદ કરવામાં આવી છે. બીજી તરફ ADG આગરા અને અલીગઢ કમિશનરની આગેવાનીમાં આ મામલે તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેસની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. તેના માટે તેમણે સમિતિની રચના પણ કરી હતી.



