તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

જમ્મુ-કાશ્મીરનાં ઉધમપુર અને કઠુઆ જિલ્લાના જંગલોમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જમ્મુ-કાશ્મીરનાં ઉધમપુર અને કઠુઆ જિલ્લાના જંગલોમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું છે. જેમાં સેનાના જવાનો દ્વારા એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીઓને ઠાર કર્યા હતા. એન્કાઉન્ટરની શરૂઆત કર્યા બાદ સુરક્ષાદળો દ્વારા વિસ્તારોને ઘેરી લેવામાં આવ્યો હતો. જો કે, જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારો ઉધમપુર અને કઠુઆ જિલ્લામાં સુરક્ષાદળોનું સઘન સર્ચ ઓપરેશન ચાલુ છે.

ઉધમપુર અને કઠુઆ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ભારે વરસાદ અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિનો માહોલ હોવા છતા સુરક્ષા દળો આતંકવાદીઓને શોધી કાઢવામાં સફળ રહ્યા છે. આ ઉપરાંત, સુરક્ષાદળો દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ નાગરિકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે જાણ કરવા અપીલ કરવામાં આવી છે. ઉધમપુર અને કઠુઆ જિલ્લાના જંગલોમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી M4 રાઈફલ, AK રાઈફલ અને પિસ્તોલ સહિત વિવિધ હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે.