સોનગઢનાં સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ ખાતે તારીખ 20મી જાન્યુઆરી 2024નાં રોજ એક દિવસી રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારનો વિષય ણાઆ “NAAC Criteria 1-7’ હતો. સેમીનારના પ્રમુખ વક્તા તરીકે રાજ્યની સ્ટેટ ક્વાલીટી એશ્યોરેંસ સેલ’ અને નેક પીયર ટીમના માનદ સદસ્ય શ્રી ડો.નરેન્દ્રભાઈ ચૌટલીયા ઉપસ્થિત રહ્યા હતા તેઓએ NAAC Criteria સંબંધિત ઊંડાણ પૂર્વકનું સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સેમિનારમાં બહોળી સંખ્યામાં વિવિધ સરકારી કોલેજના આચાર્યશ્રીઓ, પ્રધ્યાપકઓ મળી કુલ 79ની બુદ્ધિજીવોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંપૂર્ણ સેમિનારનું આર્થિક અનુદાન ગુજરાત શિક્ષણ વિભાગના નોલેજ કોન્સોટીયર્મ રચિત State quality Assurance cell દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.




