ગુજરાત હાઇકોર્ટને 7 નવા જસ્ટિસ મળ્યા છે. ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટે કોલેજિયમની 7 જજોની નિમણૂકની ભલામણને મંજૂરી આપી હતી.
અગાઉ હાઇકોર્ટમાં 31 જસ્ટિસ હતા, પરંતુ હવે 7 નવા જસ્ટિસ મળતાં આ સંખ્યા વધીને 38 થઈ ગઈ છે. નવા નિમણૂક કરાયેલા તમામ જસ્ટિસ આગામી દિવસોમાં શપથ લેશે. જેમાં લિયાકતહુસૈન શમસુદ્દીન પીરઝાદા, રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી, જયેશ લાખણશીભાઈ ઓડેદરા, પ્રણવ મહેશભાઈ રાવલ, મૂળચંદ ત્યાગી, દીપક મનસુખલાલ વ્યાસ અને ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ.
