તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Latest News Tapi : સોનગઢ નગરમાં જમીન પર કબજો જમાવનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોનગઢ નગરમાં જમીન પર કબજો જમાવનાર ત્રણ લોકો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાયો છે. મળતી વિગતો અનુસાર ફરિયાદી મયંકભાઇ કીરીટભાઇ જોષી તે સ્વ.ચંદ્રિકાબેન કિશોરચંદ્ર જોષીના કુલમુખત્યાર (ઉ.વ.૫૭ રહે. ૨૦૩, વિશ્વાભવન નવાગામ વાણીયા ફળિયું તા.સોનગઢ) નાઓની માલિકીની બ્લોક/સર્વે નં.૫૧/૧ અને સી.સ.નં. ૨૯૧૪, ક્ષેત્રફળ ૩૯૯.૩૨ ચો.મી. વાળી જમીનમાં રામદેવપીરની ડેરી (મંદિર) બનાવી તેને ફરતે પતરાનો શેડ નાખી ગેરકાયદેસર કબ્જો કર્યો હતો.

આ જમીન પરનો કબ્જો છોડવા મયંકભાઇ જોષીએ આરોપીઓને અવાર નવાર જમીન ખાલી કરવા સમજાવવા છતાં આરોપીઓએ જમીન ખાલી કરી નહતી અને મયંકભાઇ જોષીની માલિકીની જમીન પર સને-૧૯૭૦-૭૧ થી તા.૦૯/૧૨/૨૦૨૫ સુધી ગેરકાયદેસર રીતે કબ્જો કરી રાખી જમીન પચાવી પાડી હતી. આ મામલે મયંકભાઇ કીરીટભાઇ જોષીની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે તા.૦૯મી ડીસેમ્બર નારોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૩, ૪(૩), ૫(ગ) મુજબ ત્રણ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

કોની કોની સામે ગુન્હો નોંધાયો ? :  (૧) પન્નાભાઇ ગુલાબભાઈ મોરે (૨) દુર્ગાબેન ગુલાબભાઈ મોરે (૩) બાઇસીબેન દાદુભાઇ મોરે ત્રણેય રહે.ભુવનેશ્વરી પેટ્રોલપંપની બાજુમાં નેશનલ હાઇવેના સર્વિસ રોડ, નયનદિપ કોમ્પલેક્ષ પાસે તા.સોનગઢ