તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

બંધ મકાનનાં તાળા તોડી રોકડ રકમ, અમેરિકન ડોલર અને સોના-ચાંદીનાં દાગીનાની ચોરી કરી ફરાર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર કલોલનાં હાઈવે ઉપર આવેલ ડી-માર્ટની પાછળ પુષ્પક બંગલોમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ બંધ મકાનના તાળા તોડયા હતા અને અંદરથી રોકડ રકમ તથા અમેરિકન ડોલર અને સોના ચાંદીના દાગીના વગેરેની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કલોલના ડી માર્ટ પાછળ આવેલા પુષ્પક બંગલોમાં રહેતા કોકીલાબેન જીતેન્દ્રભાઈ પટેલ તેમના જેઠ ગુજરી ગયા હોવાથી બંગલાને તાળું મારીને અમદાવાદ ગયા હતા.

ત્યારે તેમની સોસાયટીમાં રહેતા દિલીપભાઈ પટેલે તેમને ફોન કરીને જણાવેલ કે તમારા ઘરના દરવાજાનુ લોક તુટેલ છે અને ચોરી થયું હોવાનું જણાય છે તેથી તેઓ અમદાવાદથી પરત કલોલ આવી ગયા હતા અને ઘરમાં તપાસ કરતાં ઘરનો સામાન વેરવિખેર પડેલો હતો અને બેડરૂમમાં આવેલ કબાટ તપાસતા અંદરનો સામાન વેર વિકેટ પડેલો હતો અને કબાટમાંથી એક અઢી તોલાનો સોનાનો સેટ તથા સોનાની જૂની ચાંદીની શેરો ચાંદીનો ચુડો રોકડા રૂપિયા ૪૫,૦૦૦ તથા ૪૦૦ અમેરિકન ડોલરની ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. તસ્કરો કુલ રૂપિયા ૨,૭૦,૦૦૦/-ના માલ મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું માલુમ પડતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે પોલીસે મહિલાની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.